________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૩
ઉપાદાન-નિમિત્ત સંવાદ જીવ દુઃખી જ થાય છે તો સુખી કોનાથી થાય છે? એ બતાવી દે.
આના ઉત્તરમાં ઉપાદાન કહે છે કે - જા સુખકો તૂ સુખ કહે, સો સુખ તો સુખ નાહિં, યે સુખ દુઃખકે મૂલ હૈ, સુખ અવિનાશી માહિ. ૩૫
અર્થ - ઉપાદાન કહે છે-જે સુખને તું સુખ કહે છે તે સુખ જ નથી. એ સુખ તો દુઃખનું મૂળ છે. આત્માના અંતરમાં અવિનાશી સુખ છે. ૩૫.
આગલા દોહામાં નિમિત્તનો એમ કહેવાનો આશય હતો કેએક આત્માને અને ભૂલીને પર તરફ વિચાર જાય તો તે દુઃખી થાયતો સુખી કોને લઈને થાય? અર્થાત્ જીવ પર નિમિત્તના લક્ષે શુભભાવ કરીને પુણ્ય બાંધીને તેના ફળમાં સુખી થાય છે માટે જીવને સુખી થવામાં પણ નિમિત્તની જ મદદ છે. આના જવાબમાં ઉપાદાન તેની મૂળભૂત ભૂલ બતાવે છે કે હે ભાઈ ! તું જે પુણ્યના ફળને સુખ કહે છે તે સુખ જ નથી, પરંતુ એ તો દુઃખનું જ મૂળ છે. પુણ્યને અને પુણ્યના ફળને પોતાનું સ્વરૂપ માનીને જીવ મિથ્યાત્વની મહાપુષ્ટિ કરીને અનંત સંસારમાં દુઃખી થાય છે માટે અહીં પુણ્યને દુઃખનું જ મૂળ કહ્યું છે. પાંચ ઇન્દ્રિયના વિષય તરફનું વલણ તો દુઃખ છે જ પણ પંચમહાવ્રતોના ભાવ તે પણ આસ્રવ છે-દુઃખનું મૂળ છે.
સ્વભાવ તરફનો ભાવ તે સુખનું મૂળ છે અને નિમિત્ત તરફનો ભાવ તે દુઃખનું મૂળ છે. ઊંચામાં ઊંચા પુણપરિણામ પણ નાશમાં છે, માટે પુણ્ય તે સુખરૂપ નથી. આત્માના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com