________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭)
મૂળમાં ભૂલ ભાઈ રે! આ તો શ્રીભગવાન પાસેથી આવેલા હીરા સરાણ પર ચઢે છે. એક ન્યાયની જે ઊંધી સમજણ પકડે તો સંસાર થાય અને જો યથાર્થ સંધિ કરીને બરાબર સમજે તો મુક્તિ થાય. અહો! આ વાત તો વીતરાગ ભગવાન જ કરે.. વીતરાગના જે સેવકો તે પણ વીતરાગ જ છે ને! વીતરાગ અને વીતરાગના સેવકો સિવાય આ વાત કરવા કોઈ સમર્થ નથી.
ત્રિકાળી સ્વતંત્ર સ્વભાવી હોવા છતાં અનાદિથી આ આત્મા કેમ સંસારમાં રખડી રહ્યો છે? અનાદિથી પોતાની ભૂલને જીવે ઓળખી નથી. બંધ-મુક્ત પોતે પોતાના ભાવે જ થાય છે. છતાં પરના કારણે પોતાને બંધન-મુક્તિ તે માને છે; અનાદિનું મહા ઊંધુ શલ્ય રહી ગયું છે કે પુણ્યથી અને નિમિત્તોની લાભ થાય, પરંતુ બાપુ! આત્માને પોતામાં અનાદિથી કઈ જાતની ભૂલ છે અને તે કયા કારણે છે તે જાણીને તે ટાળ્યા વગર છૂટકારો થાય તેમ નથી. પુણ્ય સારું અને પાપ ખરાબ એમ જીવ માને છે. પરંતુ મારો સ્વભાવ સારો અને સર્વ વિભાવ ખરાબ એમ સ્વભાવ-પરભાવ વચ્ચેના ભેદને તે જાણતો નથી. ખરેખર તો પુણ્ય અને પાપ બન્ને એક પ્રકારના ભાવો [ વિભાવરૂપભાવો] છે, તે બન્ને આત્માના જ્ઞાનાનંદસ્વરૂપને ચૂકીને નિમિત્ત ઉપરના વલણવાળા જે ભાવ થાય તેના જ પ્રકારો છે, તેમાંથી એકે ભાવ સ્વભાવ તરફના વલણવાળો નથી. એક દેવ-ગુરુ-શાસ્ત્ર તરફનો શુભભાવ અને બીજો સ્ત્રી-કુટુંબ-પૈસા તરફનો અશુભભાવ-એ બન્ને પર તરફ ઢળતા ભાવોથી પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ ભિન્ન છે એમ સમજ્યા વિના અનાદિની મહાન ભૂલરૂપ અજ્ઞાન ટળે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com