________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તે સંવાદ
ક્યાં સુધી તે ફળ નથી આપતી? કે જે રાગભાવે તીર્થંકરોત્ર બાંધ્યું તેથી વિરુદ્ધ ભાવ વડે તે રાગભાવનો સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરે ત્યારે તે પ્રકૃતિનું ફળ આવે અને તે ફળ પણ આત્મામાં તો ન આવે, પરંતુ બહા૨માં સમવસરણાદિની રચના થાય. આ રીતે તીર્થંકગોત્ર જે ભાવે બાંધ્યું તે ભાવ તોવળજ્ઞાન થતાં છૂટી જ ગયો છે. કાંઈ તે ભાવ કેવળજ્ઞાનદશામાં રહેતો નથી. તો જે ભાવ પોતે નાશ પામી ગયો તે ભાવે કેવળજ્ઞાનમાં શું મદદ કરી? માટે અરે નિમિત્ત! તારા ઉપરની દૃષ્ટિથી જીવ ત્રણલોકનો નાથ તો થતો નથી પરંતુ ત્રણલોકમાં તે અજ્ઞાનભાવે રખડે છે-તેથી તું જીવને ચાર ગતિમાં લઈ જાય છે.
૬૯
ઉપાદાનદષ્ટિ:- સ્વાધીન સ્વભાવની કબૂલાત; હું પરિપૂર્ણ સ્વરૂપ છું, મારી પવિત્ર દશારૂપી કાર્યને કોઈની મદદ વગર હું જ મારી શક્તિથી કરું છું આવું પોતાના સ્વભાવની શ્રદ્ધાનું જોર તે ઉપાદાન દષ્ટિ છે અને તે મુક્તિનો ઉપાય છે.
નિમિત્તદષ્ટિઃ- પોતાના સ્વભાવને ભૂલીને ૫૨ દ્રવ્યાનુસા૨ી ભાવ; સ્વાધીન આત્માનું લક્ષ ચૂકીને જે કોઈ ભાવ થાય તે બધા ભાવો પરાશ્રિત છે અને તે પરાશ્રિત ભાવ સંસારનું કારણ છે. સાક્ષાત્ તીર્થંકરના લક્ષે જે ભાવ થાય તે ભાવ પણ દુઃખરૂપ અને સંસારનું જ કારણ છે. પુણ્યનો રાગ તે પણ પ૨ લક્ષે જ થતો હોવાથી દુઃખ અને સંસારનું જ કારણ છે. માટે પરાધીન-દુઃખરૂપ હોવાથી નિમિત્ત દષ્ટિ છોડવા જેવી છે અને સ્વાધીન સુખરૂપ હોવાથી ઉપાદાન સ્વભાવદષ્ટિ જ અંગીકાર કરવા જેવી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com