________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૫૯
કામ આપતું હોય તો અંધકારમાં તેની જોવાની શક્તિ ક્યાં ગઈ? (અંધકારમાં કેમ આંખેથી દેખાતું નથી ?) ૨૬.
તું બધામાં ‘હું-હું' કરે છે અને બધું મારી ( ઉપાદાનની ) શક્તિથી જ થાય એમ કહે છે પરંતુ હૈ ઉપાદાન ! જોવાનું કામ તો તું સૂર્ય-ચંદ્ર-મણિ કે દીપકના નિમિત્તથી જ કરી શકે છે, જો જાણપણું તારા જ્ઞાનથી જ થતું હોય તો અંધારા વખતે તારું જ્ઞાન ક્યાં જાય છે? દીપક વગેરેના નિમિત્ત વગર અંધારામાં તું કેમ નથી જોઈ શકતો? વળી પુસ્તક વગર તને કેમ જ્ઞાન નથી થતું? શું શાસ્ત્ર વગર એકલા જ્ઞાનમાંથી જ્ઞાન થાય છે, જુઓ, આ સામે સમયસાર શાસ્ત્ર રાખ્યું હોય તો તેનું જ્ઞાન થાય છે. જો જ્ઞાનથી જ જ્ઞાન થતું હોય તો સામે શાસ્ત્ર કેમ રાખો છો ? માટે મારું જોર જ છે તારો ‘હુંકાર’ છોડ અને મારું પણ જોર છે એ કબૂલ કર! આમ નિમિત્તે દલીલ કરી.
ઉપાદાનનો જવાબઃ
સૂર સોમ મણિ અગ્નિ જો, કરે અનેક પ્રકાશ;
નૈન શક્તિ બિન ના લખે, અંધકાર સમ ભાસ. ૨૭
અર્થ:- ઉપાદાન કહે છે-જો કે સૂર્ય, ચંદ્ર, મણિ અને દીપક અનેક પ્રકારનો પ્રકાશ કરે છે તોપણ દેખવાની શક્તિ વિના દેખાય નહિ, બધું અંધકાર જેવું ભાસે છે.
ભાઈ રે ! કોઈ ૫૨વસ્તુ વડે જ્ઞાન થઈ શકતું નથી. જ્ઞાનનો પ્રકાશ કરનારો તો જ્ઞાનસ્વરૂપી આત્મા છે અને પ્રકાશ વગેરેનો પ્રકાશક પણ આત્મા જ છે. સૂર્ય વગેરે કોઈથી જ્ઞાન પ્રકાશતું નથી અર્થાત્ પનિમિત્તથી આત્મા જાણતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com