________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
મૂળમાં ભૂલ નિમિત્તના જોરથી જ દોષ થાય છે. ત્યારે ઉપાદાને જવાબમાં કહ્યું કે-અરે નિમિત્ત! ઉપાદાન જ્યારે પોતાનું કાર્ય કરે ત્યારે નિમિત્તની હાજરી હોય છે એમ શ્રી સર્વજ્ઞ ભગવાને જોયું છે તો તેની મારાથી કેમ ના કહેવાય? પરંતુ હાજર રહેલી બીજી ચીજ આત્માને બિલકુલ વિકાર કરાવતી નથી.
જો એકલા ઉપાદાનથી જ કાર્ય થઈ શકતું હોય તો શું કર્મ વગર આત્મામાં અવગુણ થાય છે? કર્મ વગર અવગુણ ન થાય માટે કર્મનું જોર જ આત્માને અવગુણ કરાવે છે. આ રીતે અજ્ઞાનીઓ ઉપાદાનને પરાધીન માને છે. ઉપાદાનની સ્વાધીનતા જાહેર કરતાં જ્ઞાનીઓ કહે છે કે-જીવ પોતે સમજે તો તે મુક્તિ પામે છે, તેને કર્મ રોકી શકતાં નથી અને જીવ પોતે દોષ કરે તો કર્મ વગેરે બીજી ચીજને નિમિત્ત કહેવાય છે, પરંતુ કર્મ બળજોરીથી આત્માને વિકાર કરાવતું નથી. આ રીતે પરવસ્તુની નિમિત્તરૂપ હાજરી છે એટલું જ્ઞાનમાં સ્વીકાર્યું, પરંતુ તે ઉપાદાનને કાંઈ પણ કરે એ વાતને તો મૂળથી ઉડાડી દીધી.
હવે નિમિત્ત જરાક ઢીલું પડીને, ઉપાદાન-નિમિત્ત બન્નેને સરખાં (પચાસ-પચાસ ટકા) કહેવા માટે ઉપાદાનને સમજાવે
જો દેખ્યો ભગવાન ને, સો હી સાચો આહિ, હમ તુમ સંગ અનાદિ કે, બલી કહોગે કાહિ. ૨૨
અર્થ- નિમિત્ત કહે છે–ભગવાને જે દેખ્યું છે તે જ સાચું છે, મારો અને તારો સંબંધ અનાદિનો છે માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com