________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
પ૧ મદદની જરૂર છે, પર ચીજ આત્માને ગુણદોષ ઉપજાવે છેમાન્યતા સાચી નથી એમ આ સંવાદમાં સિદ્ધ કર્યું છે.
જો પર ચીજ આત્માને દોષ ઉપજાવે તો, પર ચીજ તો કાયમ છે, તેથી દોષ કાયમ થઈ જાય અને કદી તે ટળી શકે નહિ; તથા જો ગુણ માટે આત્માને પર ચીજની જરૂર પડે તો ગુણ પરાધીન થઈ જાય, પરંતુ ગુણ તો સ્વાધીન સ્વભાવ છે, માટે આત્માના ગુણ તો સ્વાધીન સ્વભાવ છે, માટે આત્માના ગુણદોષ પરચીજ ઉપજાવી શકતી નથી. જ્યારે જીવ પોતે પોતાનું કાર્ય કરે ત્યારે તે નિશ્ચય (ઉપાદાન) છે અને બીજી ચીજની હાજરી તે વ્યવહાર (નિમિત્ત) છે; આ બને છે ખરા, પરંતુ બીજી ચીજ તેને ગુણ-દોષ ઉપજાવવા સમર્થ નથી.
પૈસા હોય તો પુણ્ય ઊપજે અને શરીર સારું હોય તો ધર્મ થાય એ બન્ને માન્યતા તદ્દન મિથ્યા છે, તેવી જ રીતે દેવ-ગુરુશાસ્ત્રની હાજરી જીવને ધર્મ પમાડે એ વાત પણ મિથ્યા જ છે. જીવ પોતે સમજે તો ધર્મ પામે, અને પોતે ધર્મ પામે ત્યારે “શ્રી સદ્દગુરુએ ધર્મ સમજાવ્યો” એમ વિનયથી બોલાય તે વ્યવહાર છે, પરંતુ ખરેખર કોઈ કોઈને ધર્મ સમજાવવા સમર્થ નથી એવા નિશ્ચયનું જ ભાન હોય તો વ્યવહાર સાચો કહેવાય, નહિતર તો વ્યવહાર પણ ખોટો છે.
નિમિત્તની દલીલ હતી કે હું ઉપાદાન! તારી એ બધી વાત તો ઠીક, પરંતુ તારા આત્મામાં જે દોષ થાય છે તે દોષ શું તારા સ્વભાવમાંથી આવે છે? નહિ જ, દોષ માટે બીજી ચીજની હાજરીની જરૂર છે, તેથી હું કહું છું કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com