________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
ઉપાદાન-નિમિત્ત સંવાદ જીવતી હોત તો આની સાથે ભોગા ભોગવત, અને કૂતરાને એવો વિચાર આવ્યો કે જો અહીંથી બધા ચાલ્યા જાય તો આના શરીરનું માંસ ખાઉં હવે જુઓ ! સામે નિમિત્ત એક જ સરખું હોવા છતાં દરેકના ઉપાદાનની સ્વતંત્રતાના કારણે વિચારમાં કેટલો ફેર પડ્યો? જો નિમિત્તની અસર થતી હોય તો બધાના વિચાર સરખા થવા જોઈએ, પરંતુ તેમ થયું નહિ, એ જ સિદ્ધ કરે છે કે ઉપાદાનની સ્વાધીનતાથી જ કાર્ય થાય છે. જીવ પોતે જ પાપરાગ, પુણ્યરાગ કે પુણ્ય-પાપ રહિત શુદ્ધ વીતરાગ ભાવ જેવા ભાવ કરવા માગે તેવા ભાવ તે કરી શકે છે.
આ તો ધર્મની સમજાય તેવી વાત છે, પ્રથમ દશામાં સમજવા માટેની સાધારણ વાત છે. સમ્યગ્દર્શન અર્થાત્ સ્વતંત્ર પરિપૂર્ણ આત્મસ્વભાવની ઓળખાણ પ્રગટ કરવા પહેલાં વસ્તુનો સાચો નિર્ણય કરવા માટેની આ પહેલી ભૂમિકા છે. કલ્યાણ માટેની આ અપૂર્વ સમજણ છે, આ માત્ર શબ્દોની વાતો નથી, પરંતુ આની પાછળના ભાવમાં તો કેવળજ્ઞાન લેવાના કક્કા છે, માટે બરાબર સચિપૂર્વક આ સમજવું જોઈએ.
અજ્ઞાની કહે છે-કર્મના નિમિત્ત વિના આત્માને વિકાર થાય નહિ માટે કર્મ જ વિકાર કરાવે છે. જ્ઞાની કહે છે- આત્મા પોતે વિકાર કરે ત્યારે કર્મ નિમિત્તરૂપ હાજર હોય છતાં તે કર્મ આત્માને વિકાર કરાવે નહિ. કોઈ હજારો ગાળો દે તે ક્રોધનું કારણ નથી, પરંતુ જીવ જો ક્ષમા છોડીને ક્રોધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com