________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
४८
તો તે બંગડી જેવા નહિ ખખડે, કેમ કે તેનામાં તે જાતની ઉપાદાન શક્તિ નથી. કોઈ વાર બે બંગડી અથડાતાં ફૂટી પણ જાય છે, ત્યાં કેમ ખખડતી નથી? તેનામાં તેવો અવાજ થવાની ઉપાદાન શક્તિ નથી પણ ફૂટવારૂપ લાયકાત છે તેથી તેમ થાય છે. વળી ચંદ્ર છે તેથી આડી આંખે બે ચંદ્ર દેખાય છે-એ વાત પણ ખોટી છે. ચંદ્રના કારણે જો તેમ થતું હોય તો જે જે ચંદ્રને જુએ તે બધાયને બે ચંદ્ર દેખાવા જોઈએ; પરંતુ તેમ થતું નથી, કેમ કે તેમાં ચંદ્રનું કારણ નથી. એક જોનારાને ચંદ્ર સ્પષ્ટ એક જ દેખાય અને બીજા જોનારાને ચંદ્ર બે દેખાય છે ત્યાં જોનારાની દષ્ટિમાં કાંઈક ફેર છે, જે જોનાર પોતાની આંખની આડાઈથી જુએ છે તેને બે ચંદ્ર દેખાય છે, બીજાને દેખાતા નથી તેથી સિદ્ધ થયું કે નિમિત્ત અનુસાર કાર્ય થતું નથી પણ ઉપાદાન કારણની શક્તિ અનુસાર કાર્ય થાય છે; જ્યારે જીવ સ્વરૂપને ભૂલીને આડી દષ્ટિથી વિકાર કરે છે ત્યારે તે પોતે જ કરે છે, કોઈ ૫૨ કરાવતું નથી સામે નિમિત્ત તો એકને એક જ હોવા છતાં ઉપાદાનને કારણે પરિણામમાં ફેર પડે છે; તેનું દૃષ્ટાંતઃ- કોઈ એક ખૂબસૂરત મરેલી વેશ્યા રસ્તા વચ્ચે પડી હતી, તેને સાધુ, ચોર, વિષયાસક્ત પુરુષ અને કૂતરો એ ચારેયે જોઈ, તેમાંથી સાધુને એવો વિચાર આવ્યો કે અહો! આવો મનુષ્ય અવતાર પામીને પણ આત્માની સાચી સમજણ કર્યા વગ૨ આ મરી ગઈ. ચોરને એવો વિચાર આવ્યો કે જો અહીં કોઈ ન હોય તો આના શરીર ઉપરના દાગીના કાઢી લઉં. વિષયાસક્ત પુરુષને એવો વિચાર આવ્યો કે જો આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com