________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
મૂળમાં ભૂલ વાત તો સંભવતી નથી, માટે હે ઉપાદાન તારી વાત યોગ્ય નથી.
૨૦.
૧૯મા દોહામાં ઉપાદાનને એમ કહ્યું હતું કે ઉપાદાન અનાદિથી ઊલટું થઈ રહ્યું છે, તે લક્ષમાં લઈને નિમિત્ત એમ દલીલ કરે છે કે હું ઉપાદાન! તારામાં જે અનાદિથી વિકાર ભાવ થઈ રહ્યો છે તે શું નિમિત્ત વગર જ થાય છે? જો પર નિમિત્ત વગર એકલા આત્માથી જ વિકાર થતો હોય તો તે આત્માનો સ્વભાવ જ થઈ જાય અને તેથી સિદ્ધ ભગવંતોને પણ વિકાર થવો જોઈએ. પરંતુ વિકારી ભાવ બીજા નિમિત્ત વગર હોય નહિ કેમકે તે આત્માનો સ્વભાવ નથી. જો નિમિત્ત વગર થાય તો વિકાર તે સ્વભાવ થઈ જાય, પરંતુ વિકારમાં નિમિત્ત તો હોય જ છે, માટે નિમિત્તનું જોર થયું કે નહિ?
ઊંધો ભાવ એકલા સ્વભાવમાંથી આવ્યો કે તેમાં કોઈ નિમિત્ત હતું? શું બંગડી એકલી એકલી ખખડ? એકલી બંગડી ખખડે નહિ પણ સાથે બીજી બંગડી હોય તો જ ખખડે. જો સામે ચંદ્રમાં ન હોય તો આડી આંખે બે ચંદ્ર દેખાય નહિ, માટે સામી બીજી ચીજ છે તેથી જ વિકાર થાય છે. તેમ આત્માના વિકારમાં બીજી ચીજની જરૂર પડ ઉપાદાન અને નિમિત્ત બે ભેગા થાય તો વિકાર થાય. આત્મા વિકાર કરે ત્યારે પરના લક્ષે કરે કે આત્માના લશે? એકલા આત્માના લક્ષે વિકાર થવાની લાયકાત જ નથી માટે વિકાર થવામાં હું (નિમિત્ત) પણ કંઈક કરું છું. ધ્યાન રાખજો! આ તો બધી નિમિત્તની દલીલો છે. ઉપરથી જોરદાર લાગતી દલીલ અંદરથી તદ્દન ઢીલી છે, મૂળથી જ પાયો ખોટો છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com