________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૨૯ શકે છે. પરંતુ ક્ષાયિક સમકિત તો નિમિત્તની હાજરીમાં જ થાય છે. સાક્ષાત્ તીર્થંકરની સભા હોય, અને તત્ત્વોના ગંભીર ન્યાયની એકધારી ધોધવાણી છૂટતી હોય, તે સાંભળતાં જીવને સ્વભાવનો પરમ મહિમા થાય કે અહાહા! આવો પરિપૂર્ણ જ્ઞાયકસ્વરૂપી ભગવાન હું! એક વિકલ્પનો અંશ પણ મારું સ્વરૂપ નહિ. હું સ્વતંત્ર સ્વાધીન પરિપૂર્ણ છું–આમ અંતરથી નિજ આત્મસ્વભાવની અપ્રતિત પ્રતીતિ જાગૃત થતાં જીવને ક્ષાયિક સમ્યકત્વ થાય છે, ત્યાં તીર્થકર કેવળી કે શ્રુતકેવળી નિમિત્ત છે. તેથી નિમિત્ત એમ કહે છે કે આત્માને શાયિક સમ્યકત્વમાં નિમિત્ત મદદગાર જોઈએ જ, એ મારું બળ છે.
તેનો ઉત્તર ઉપાદાન કહે છે:
કેવલિ અરુ મુનિરાજ કે, પાસ રહેં બહુ લોય; પૈ જાકો સુલટયો ધની, લાયક તાકો હોય. ૧૧
અર્થ:- ઉપાદાન કહે છે-કેવળી અને શ્રુતકેવળી મુનિરાજ પાસે ઘણા લોકો રહે છે, પણ જેનો ઘણી (આત્મા) સવળો થાય તેને જ ક્ષાયિક સમ્યકત્વ થાય છે.
ઉપાદાન નિમિત્તને કહે છે કે અરે! સાંભળ, સાંભળ, કેવળી ભગવાન અને તે ભવે મોક્ષ જનારા શ્રુતકેવળી મુનિરાજ પાસે તો ઘણા લોકો રહે છે, ઘણા જીવો સાક્ષાત્ તીર્થંકર પાસે જઈ આવ્યા, પરંતુ તે બધાને ક્ષાયિક સમકિત થયું નહિ. જેનો આત્મા પોતે સવળો પડ્યો તે પોતાની શક્તિથી ક્ષાયિક સમકિત પામ્યો, અને જેનો આત્મા પોતે સવળો ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com