________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
મૂળમાં ભૂલ તેવું છે પરંતુ દેખતી દષ્ટિએ તો ચોખા ચોખાથી જ પાકયા છે, પાકરૂપ અવસ્થા ચોખામાં જ થઈ છે અગ્નિમાં નથી થઈ. ચોખામાં જ સ્વતઃ પાકવાની શક્તિ છે તેથી તે પાકયા છે. અગ્નિ કે પાણીથી તે પાકયા નથી. તેવી જ રીતે રોટલી પોતાથી પાકી છે અગ્નિ કે તાવડીથી પાકી નથી.
નિમિત્ત દલીલ મૂકે છે કે - હે ઉપાદાન! રોટલી પોતાથી પાકી છે, અથિી રોટલી પાકી નથી-એમ જગતમાં કોણ કહે છે? તું આખા સંસારને પૂછી જો “ઘઉંના પરમાણુઓની પાકી અવસ્થા થવાની હતી ત્યારે તાવડી અને અગ્નિની હાજરી હતી પણ તેનાથી રોટલી થઈ નથી” આવી તારી લાંબી લાંબી વાત જગતમાં કોણ કરે છે? સીધી અને ટૂંકી વાત છે કે અગ્નિથી રોટલી પાકી, એમાં પૂછવું છે શું? માટે ઉપાદાનની શક્તિથી જ કાર્ય થાય છે એ વાત ખોટી છે.
હવે ઉપાદાન જવાબ આપે છે:ઉપાદાન બિન નિમિત્ત તું કર ન સકે ઈક કાજ; કહું ભયો જગ ના લખે, જાનત હૈ જિનરાજ. ૭
અર્થ- ઉપાદાન કહે છે, અરે નિમિત્ત! એક પણ કાર્ય ઉપાદાન વિના થઈ શકતું નથી, જગત ન જાણે તેથી શું થયું? જિનરાજ તે જાણે છે. ૭.
ઉપાદાન શ્રીજિનરાજને પોતાના પક્ષમાં રાખીને વાત કરે છે. અરે નિમિત્ત! તું રહેવા દે. જગતના દરેક પદાર્થનાં કાર્ય પોતાની શક્તિથી જ થઈ રહ્યાં છે. કોઈ પર તેને શક્તિ આપતું નથી. જો જીવ આવું સ્વરૂપ સમજે તો પોતાના ભાવ તરફ જોવાનો તેને અવકાશ રહે, અને પોતાના ભાવમાં દોષ ટાળીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com