________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૧૫
શુભરાગ આવ્યા વગર રહે નહિ, અને શુભરાગના નિમિત્તો પણ આવે જ, પરંતુ રાગથી કે નિમિત્તથી જૈન સમકિતી ધર્મ માનતા નથી, રાગથી કે નિમિત્તથી જે ધર્મ માને તે મિથ્યાદષ્ટિ છે.
નિમિત્ત કહે છે કે ભલે રાગથી કે નિમિત્તથી સમકિતી ધર્મ નથી માનતા, પરંતુ સામે જો સોય પડી હશે તો સોયનું જ્ઞાન થશે કે કાતરનું? સામે માણસનું ચિત્ર જોઈને માણસનું જ્ઞાન થશે કે બીજું? માટે સામે જેવું નિમિત્ત હોય તેવું જ જ્ઞાન થાય એટલે કે નિમિત્તથી જ જ્ઞાન થાય છે-માટે નિમિત્તનું જોર છે. આવી નિમિત્તની દલીલ છે. નિમિત્તની પડ લાંબી છે. અજ્ઞાનીઓ નિમિત્તથી જ થાય એમ માનનારા છે.
ઉપાદાનને જાણનારા જ્ઞાનીઓ કહે છે કે-નિમિત્તથી જ્ઞાન થતું જ નથી, પણ ઉપાદાનની શક્તિથી જ થાય છે. જ્ઞાન તો પોતાની સ્મૃતિથી થાય છે, સોય દેખવાથી જ્ઞાનની સ્મૃતિ થઈ નથી. સોય જોવાનું કામ જ્ઞાને કર્યું કે સોયે ? જ્ઞાનથી જ જાણવાનું કાર્ય થયું છે. જો સોયથી જ્ઞાન થતું હોય તો આંધળા પાસે સોય મૂકતાં તેને તે સંબંધી જ્ઞાન થવું જોઈએ, પરંતુ તેમ થતું નથી, કેમ કે આંધળામાં જ શક્તિ નથી. સોય તો જડ છે, જડમાંથી જ્ઞાન આવે નહિ. અજ્ઞાનીની દૃષ્ટિ ૫૨-નિમિત્ત ઉપર પડી હોવાથી તે સ્વાધીન જ્ઞાનને જાણતો નથી, તેથી તે પરના કારણે જ્ઞાન થયું–એમ માને છે. ઉપાદાન સ્વરૂપની વાત પણ જગતના અજ્ઞાનીઓ પૂછતા નથી; “ચોખા અગ્નિ વગર પાર્ક? ન જ પાકે. માટે ચોખા અગ્નિથી પાકયા કે ચોખાથી ?” અગ્નિથી ચોખા પાકયા એમ આંધળી દષ્ટિએ દેખાય
66
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com