________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧
ઉપાદાન-નિમિત્ત સંવાદ ઉપાદાન-નિમિત્ત બને અનાદિ અનંત છે, તે બન્નેનું યથાર્થ જ્ઞાન કરવા માટેનો આ ઉપદેશ છે.
અનાદિથી જગતના અજ્ઞાની જીવો ઉપાદાન કોણ છે તે જાણતા નથી, તેઓ નિમિત્તને જ જાણે છે. નાનો છોકરો પણ કહે કે- માસ્તર હોય તો એકડો આવડે, પરંતુ માસ્તર ન હોય તો કોણ શીખવાડે? પણ જે એકડો શીખે છે તે એકડો શીખવાની પોતાની શક્તિથી શીખે છે, કાંઈ પાડાને એકડો આવડે નહિ.
આખું જગત નિમિત્તને ઓળખે છે એટલે કે બાળકથી માંડીને માંધાતા અજ્ઞાની મુનિને પૂછે કે મુક્તિ કેમ થાય ? તો કોઈ કહેશે બહારની ક્રિયાથી અને કોઈ કહેશે પુણ્યથી મુક્તિ થાય પરંતુ તે કોઈ આત્માની મૂળ ઉપાદા નશક્તિને જાણતા નથી. અજ્ઞાનીઓને પોતાને પક્ષમાં રાખીને નિમિત્તે આ દલીલ મૂકી છે:
હવે જ્ઞાનીઓને પોતાના પક્ષમાં રાખીને ઉપાદાન તેનો જવાબ આપે છે:
ઉપાદાન કર્યું રે નિમિત્ત, તું કહા કરે ગુમાન; મોક જાનૈ જીવ વે જો હૈ સમ્યફવાન. ૫
અર્થ - ઉપાદાન કહે છે કે અરે નિમિત્ત! તું અભિમાન શા માટે કરે છે? જે જીવ સમ્યજ્ઞાની હોય તે મને જાણે છે.
આત્માનો સ્વભાવ સમજનારા જ્ઞાનીઓને પોતાના પક્ષમાં રાખીને ઉપાદાન કહે છે કે હું નિમિત્ત! તું ગૂમાન કેમ કરે છે? તારું ગૂમાન મિથ્યા છે. જગતના અજ્ઞાનીનાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com