________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
આખા જગતના લોકો નિમિત્તનું નામ જાણે છે. વાડ હોય તો વેલો ચઢે. રોટલા વગેરેની સગવડતા હોય તો ધર્મ થાય, મનુષ્યદેહ હોય તો મુક્તિ થાય-આ રીતે નિમિત્તથી કાર્ય થાય
એમ આખા સંસારના જીવો માને છે અને તેથી તેઓ નિમિત્તને ઓળખે છે. પરંતુ ઉપાદાનને કોઈ જાણતા નથી. બહારના નિમિત્તો સારાં હોય તો આત્મા સુખી થાય એમ આખી દુનિયા માને છે, પણ ઉપાદાનનું તો નામ પણ કોઈ જાણતું નથી માટે હું ઉપાદાન! તું મફ્તનો બડાઈ કરે છે! શું લંગડો લાકડી વગર ચાલી શકે? લાકડીનું નિમિત્ત જોઈએ જ-માટે નિમિત્તનું જ જોર છે-એમ નિમિત્ત દલીલ કરે છે, પરંતુ નિમિત્તની તે દલીલો ખોટી છે. લંગડો ચાલે છે તે પોતાની યોગ્યતાથી ચાલે છે. જો લાકડીને લીધે ચાલતો હોય તો મડદાં પણ લાકડીથી ચાલવા જોઈએ! પરંતુ મડદામાં ચાલવાની યોગ્યતા નથી તેથી તે ચાલતા નથી; માટે ઉપાદાનની શક્તિથી જ કાર્ય થાય છે.
૧૦
વળી નિમિત્ત કહે છે કે-જો તમે નિમિત્તનું જોર ન માનતા હો તો ભગવાનની પ્રતિમાને તમે શા માટે પગે લાગો છો? તે પણ નિમિત્ત છે કે નહિ? તથા મુક્તિ પામવા માટે મનુષ્ય શરીર તો જોઈએ ને? અને કાન સારા હોય તો સાંભળીને ધર્મ પામે ને? માટે બધે નિમિત્તનું જોર છે-આખી દુનિયાને પૂછો તો તે આમ જ કહેશે નિમિત્ત તરફની આ સર્વ દલીલો ખોટી છે એમ
આ સંવાદથી સિદ્ધ થશે. નિમિત્તે જે કહ્યું તે બધું સંસારમાં રખડનારા જગતના અજ્ઞાનીઓ માની રહ્યા છે, તેમને ઉપાદાનની ઓળખાણ નથી. આ સંવાદમાં ઉપાદાન-નિમિત્તના સિદ્ધાંતની વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com