________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ સ્વરૂપ જાણતા નથી. તેથી તે ઉપાદાન અને નિમિત્તનું સ્વરૂપ આ સંવાદમાં બતાવ્યું છે.
દહીં થવામાં દૂધ તે ઉપાદાન છે અને છાશ તે નિમિત્ત છે. દહીં થાય છે તે દૂધમાંથી થાય છે, છાશમાંથી થતું નથી. જો છાશમાંથી થતું હોય તો પાણીમાં છાશ નાખવાથી પણ દહીં થવું જોઈએ પરંતુ એમ થતું નથી; તેમ શિષ્યના આત્માની પર્યાય પલટીને મોક્ષ થાય છે કાંઈ ગુનો આત્મા પલટીને શિષ્યની મોક્ષદશારૂપે થતો નથી. શિષ્યનો આત્મા પોતાનું ઉપાદાન છે, તે પોતે સમજીને મુક્ત થાય છે. પરંતુ ગુરુના આત્મામાં શિષ્યની કોઈ અવસ્થા થતી નથી.
ઉપાદાન - [ ઉપ+આદાન] ઉપ એટલે સમીપ અને આદાન એટલે ગ્રહણ થવું તે; જે પદાર્થના સમીપમાંથી કાર્યનું ગ્રહણ થાય તે ઉપાદાન છે; અને તે વખતે જે પરપદાર્થની અનુકૂળ હાજરી હોય તે નિમિત્ત છે.
હવે શિષ્ય પ્રશ્ન પૂછે છેઃ- [કોઈક જ જીવ તત્ત્વના પ્રશ્નો પૂછવા ઊભા રહે છે. જેને તરસ લાગી હોય તે પાણીના ધોરીએ ઊભા રહે તેમ જેને આત્માનું સ્વરૂપ સમજવાની તૃષા લાગી છે અને ધગશ થઈ છે તેવા કોઈક જીવ સત્સમાગમ પૂછે છે] કે હે પ્રભુ! તમે કોને ઉપાદાન કહો છો અને કોને નિમિત્ત કહો છો, તથા તે ઉપાદાન નિમિત્ત એક ઠેકાણે કયારના ભેગાં થયા છે, બન્નેનો સંયોગ કયારનો છે ?
આવા જિજ્ઞાસુ શિષ્યના પ્રશ્નોનો ઉતર હવે કહે છે:ઉપાદાન નિજશક્તિ હૈ, જિયકો મૂલ સ્વભાવ, હૈ નિમિત્ત પરયોગતે, બન્યો અનાદિ બનાવ. ૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com