________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૨૦૨
૫૨માં નિરર્થક છે અને તે ખોટી માન્યતા પોતામાં અનર્થક છે; પોતાના આત્માને અનંત સંસારમાં રખડાવવા માટે તે માન્યતા સાર્થક છે, પણ ૫૨માં તો તદ્દન નિરર્થક છે.
પ્રશ્ન:- નિશ્ચયથી તો પરનું કાંઈ પણ કરી ન શકાય એ વાત સાચી છે, પણ વ્યવહારથી તો પ૨નું કરી શકાય છે ને ?
ઉત્તર:- નિશ્ચય પોતામાં ને વ્યવહાર ૫૨માં-એવું કાંઈ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ નથી. કોઈ પણ રીતે પરદ્રવ્ય સાથેની એકતાનો અભિપ્રાય છોડવો નથી તેથી અજ્ઞાની જીવ એમ માને છે કે વ્યવહારથી તો પરનું કરાય. જ્ઞાની કહે છે કે ભાઈ, વ્યવહા૨થી પણ ૫રનું કાંઈ તું કરી શકતો નથી. વ્યવહાર શું કહેવાય તેનું પણ તને જ્ઞાન નથી. જ્યાં સુધી ૫૨ સાથેના સંબધનો અભિપ્રાય ઊભો છે ત્યાં સુધી વ્યવહારની પણ ખબર પડશે નહિ. ૫૨ પદાર્થનું કામ તેના પોતાથી થયું તે તો તે પદાર્થનો નિશ્ચય છે અને તેના કાર્ય વખતે નિમિત્તરૂપ બીજા પદાર્થની હાજરીને તેનું નિમિત્ત કહેવું તે તેનો વ્યવહાર છે. એટલે કે દરેકે દરેક પદાર્થ સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, તે નિશ્ચય છે અને એક પદાર્થમાં બીજા પદાર્થનું નિમિત્ત કહેવું તે વ્યવહાર છે. પરંતુ એક પદાર્થમાં બીજા પદાર્થે કાંઈ કર્યું એમ માનવું તે વ્યવહાર નથી, તે તો અજ્ઞાન છે.
પ્રશ્નઃ- વ્યવહા૨થી ૫રનું કરી ન શકે, પણ ‘મેં પ૨નું કર્યું’ એમ વ્યવહારથી બોલાય તો ખરું ને?
ઉત્ત૨:- બોલવાની ક્રિયા તો જડની છે, ભાષા જડ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com