________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
આ ઉપાદાન-નિમિત્તનો સંવાદ છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્નેનો ઝઘડો અનાદિથી છે. ઉપાદાન એમ કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોની સંભાળ કરવાથી આત્માનું કલ્યાણરૂપ કાર્ય થાય. નિમિત્ત એમ કહે છે કે શરીરાદિની ક્રિયા કરવાથી કે દેવ-ગુરુ-શાસ્ત્રથી અને શુભભાવથી આત્માનું કલ્યાણ થાય. આ પ્રમાણે પોતે પોતાની વાત સિદ્ધ કરવા ઉપાદાન અને નિમિત્ત બન્ને દલીલો રજૂ કરે છે, અને એ ઝઘડાનું અહીં વીતરાગ શાસનમાં સાચા જ્ઞાન વડે સમાધાન થાય છે.
અનાદિથી જગતના અજ્ઞાની જીવોની દષ્ટિ પર ઉપર છે. તેથી “મારા આત્માનું કલ્યાણ કરવાની મારામાં તાકાત નથી, હું પાંગળો શક્તિ વગરનો છું” કોઈક દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પર મને સમજાવી દે તો મારું કલ્યાણ થાય” એમ પરની ઓથે આત્માનું કલ્યાણ અનાદિથી માને છે. જ્ઞાનીની દષ્ટિ પોતાના આત્મા ઉપર છે તેથી તે એમ માને છે કે આત્મા પોતે પુરુષાર્થ કરે તો મુક્તિ થાય. પોતાના પુરુષાર્થ સિવાય કોઈકના આશીર્વાદ વગેરેથી કલ્યાણ થશે એમ માનવું તે અજ્ઞાન છે. આ રીતે ઉપાદાન કહે આત્માથી કલ્યાણ થાય, અને નિમિત્ત કહે પર ચીજનો સાથે હોય તો કલ્યાણ થાય. એમાં નિમિત્તની વાત તદ્દન અજ્ઞાન ભરેલી ખોટી છે એમ આ સંવાદથી સિદ્ધ કરશે.
ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ. આત્મા પરથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com