________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮)
મૂળમાં ભૂલ ક્રિયા કરે છે” એમ તો દેખાતું નથી, પણ અજ્ઞાની મફતનો માની લે છે; અને કહે છે કે મેં નજરે જોયું પણ નજરે શું જોયું? નજરે તો જડ વસ્તુની ક્રિયા તેની મેળે થાય છે તે દેખાય છે. પણ “વછેરાનાં ઇંડા” ની જેમ આત્માએ કર્યું ” એમ તે માને છે. તે વછેરાનાં ઇંડાનું દષ્ટાંત નીચે મુજબ છે:
એક વખત એક કાઠી દરબાર સારાં ઘોડાનો વછેરો લેવા નીકળ્યાં, દરબાર કદી બહાર નીકળેલ નહિ, એટલે તેને કાંઈ ખબર પડે નહિ તે એક ગામથી બીજે ગામ વછેરાની ખરીદ માટે જતાં હતાં ત્યાં વચ્ચે ધૂતારાઓ મળ્યા, અને વાતચીતમાં તે ધૂતારાઓએ જાણી લીધું કે આ દરબાર તન-બિનઅનુભવી છે અને વછેરો લેવા નીકળ્યા છે. તે ધૂતારાઓએ દરબારને છેતરવાનો નિશ્ચય કર્યો અને બે મોટાં કોળાં લઈને એક ઝાડ ઉપર ટાંગી દીધાં. તે ઝાડ પાસે ઝાડીમાં સસલાનાં બે બચ્ચાં હતાં. હવે તે ધૂતારાઓએ દરબાર સાથે વાતચીત કરીને પોતા પાસે વછેરાના બે સુંદર ઇંડા છે–એમાંથી સુંદર વછેરા નીકળશે, એમ કહીને દરબાર સાથે સોદો કર્યો અને બે વછેરાની કિંમતના હજાર રૂપિયા લઈ લીધા પછી ગુપ્ત રીતે ઝાડ ઉપર ટાંગેલા બે કોળાં નીચે પાડ્યાં કોળાં અદ્ધરથી પડતાં જ તે ફાટયાં અને અવાજ થયો, તે અવાજ સાંભળીને તુરત જ પાસેની ઝાડીમાં રહેલાં બે સસલાનાં બચ્ચાં નાસવા માંડ્યા; ત્યાં ધૂતારાઓ તાળી પાડીને કહેવા લાગ્યા કે અરે આપા! આપા! પકડો, આ તમારા વછેરાં ભાગ્યાં !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com