________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
આત્મા કોઈ પરવસ્તુમાં પેસી જતો નથી. શરીરમાં પણ આત્મા પેસી ગયો નથી; શરીર જડ છે અને આત્મા ચેતન છે; શરીર અને આત્મા એ ત્રિકાળ ભિન્ન પદાર્થો છે. શરીરની અવસ્થા રૂપ, રસ, ગંધ, સ્પર્શ સહિત જડરૂપ થાય છે અને આત્માની અવસ્થા જ્ઞાનરૂપ થાય છે-બન્ને દ્રવ્યો તથા તેની અવસ્થા જુદી જ છે.
૧૭૮
પ્રશ્ન:- જો આત્મા પરનું કરી શકે છે એમ માનવામાં આવે તો શું વાધો છે?
ઉત્ત૨:- એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે એમ માનવામાં આવે તો દ્રવ્યના નાશનો પ્રસંગ આવે છે-તે મહાન દોષ આવી પડે છે. જગતમાં અનંત પદાર્થો છે, જેમ આ આત્મા વસ્તુ છે તેમ સામું દ્રવ્ય પણ વસ્તુ છે. વસ્તુ હોય તે સમયે સમયે પોતાની અવસ્થાનું કાર્ય કરે છે. હવે જો આત્માએ તે દ્રવ્યનું કાંઈ કર્યું એમ માનવામાં આવે તો તે વખતે સામા દ્રવ્યે તેની પોતાની અવસ્થામાં શું કર્યું? કેમકે સામું દ્રવ્ય સામાન્ય સ્વરૂપ છે તેનું વિશેષ પણ દરેક સમયે હોવું જ જોઈએ. હવે જો આત્મા તે દ્રવ્યની અવસ્થા કરે તો તે વખતે સામા દ્રવ્યની પોતાથી શું અવસ્થા થઈ ? અવસ્થા વગર તો દ્રવ્ય જ હોઈ શકે નહિ, માટે આત્માએ તે દ્રવ્યની અવસ્થામાં કાંઈ પણ કર્યું નથી. દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ ટકીને ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા પોતાથી બદલાવે છે, તેમાં બીજું દ્રવ્ય કિંચિત્ માત્ર પણ કરી શકતું નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com