________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૧૫૬ ૪૭. કાર્યમાં નિમિત્ત કાંઈ કરતું નથી છતાં તેને
“કારણ”કેમ કહ્યું?
કાર્યના બે કારણો કહેવામાં આવ્યા છે, તેમાં એક ઉપાદાનકારણ છે, તે જ યથાર્થ કારણ છે; બીજું નિમિત્તકારણ તે આરોપિત કારણ છે. ઉપાદાન અને નિમિત્ત એ બે કારણ કહેવાનો આશય એવો નથી કે બને ભેગા થઈને કાર્ય કરે છે. જ્યારે ઉપાદાનકારણ પોતે કાર્ય કરે છે ત્યારે બીજી ચીજને આરોપ કરીને તેને નિમિત્તકારણ કહેવાય છે, પણ તે ખરેખર કારણ નથી.
પ્રશ્ન- નિમિત્ત તે ખરેખર કારણ નથી છતાં તેને કારણ કેમ કહ્યું?
ઉત્તર- જેને નિમિત્ત કહેવાય છે તે પદાર્થમાં તેવા પ્રકારની (નિમિત્તરૂપ હોવાની) લાયકાત છે; તેથી અન્ય પદાર્થોથી તેને જાદુ ઓળખાવવા માટે તેને “નિમિત્તકારણ' એવી સંજ્ઞા આપી છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે તેથી તે પરને પણ જાણે છે, અને પરમાં નિમિત્તપણાની લાયકાત છે તેને પણ જાણે છે. ૪૮. કર્મના ઉદયના લીધે જીવને વિકાર થતો નથી
જીવની પર્યાયમાં જ્યારે વિકાર થાય ત્યારે કર્મ નિમિત્ત તરીકે હોય જ. પણ જીવની પર્યાય અને કર્મ એ બન્ને ભેગા થઈને વિકાર કરતા નથી. કર્મના ઉદયને લીધે વિકાર થતો નથી, અને વિકાર કર્યો માટે કર્મો ઉદયમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com