________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
ઉત્તર:- આ સભ્ય નિયતવાવ છે, મિથ્યાનિયતવાદ નથી. સમ્યક્ નિયતવાદ એટલે શું? જે પદાર્થમાં જે સમયે જે ક્ષેત્રે જે નિમિત્તે જેમ થવાનું તેમ થવાનું જ છે, તેમાં કિંચિત્ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી-એવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે સમ્યક્ નિયતવાદ છે, અને તે નિર્ણયમાં સ્વભાવ તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. બધું જ નિયત છે એમ જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાનમાં એમ પણ નિર્ણય થઈ ગયો કે કોઈ પણ દ્રવ્યમાં કાંઈ પણ ફેરવવા હું સમર્થ નથી. એ રીતે, નિયતનો નિર્ણય કરતાં ‘હું પરનું કરી શકું' એવો અહંકાર ટળી ગયો અને જ્ઞાન ૫૨થી ઉદાસીન થઈને સ્વભાવ તરફ વળ્યું. હવે પોતાની પર્યાય પણ ક્રમબદ્ધ જ છે, તે ક્રમબદ્ધપણાનો નિર્ણય કરનારું જ્ઞાન, રાગ હોવા છતાં તેનો નિષેધ કરીને દ્રવ્યસ્વભાવ તરફ ઢળે છે. કઈ રીતે ઢળે છે? જ્યારે રાગને જાણે છે ત્યારે જ્ઞાનમાં એમ વિચારે છે કે, મારી ક્રમબદ્ધ પર્યાયો મારા દ્રવ્યમાંથી પ્રગટે છે, ત્રિકાળી દ્રવ્ય જ એક પછી એક પર્યાયને વે છે, તે ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ નથી, માટે આ જે રાગ થયો છે તે પણ મારું સ્વરૂપ નથી અને હું તેનો કર્તા નથી. આ રીતે, સમ્યક્ નિયતવાદનો પોતાના જ્ઞાનમાં જેણે યથાર્થ નિર્ણય કર્યો તે જીવનું જ્ઞાન પોતાના શુદ્ધ સ્વભાવ તરફ ઢળ્યું અને તેને ભાવનાં શ્રદ્ધા-જ્ઞાન થયાં, ૫૨થી ઉદાસીન થયો, રાગનો અકર્તા થયો ને પરથી તથા વિકારથી ખસીને બુદ્ધિ સ્વભાવમાં જ રોકાણી. આ સમ્યક્ નિયતવાદનું ફળ છે; તેમાં જ્ઞાન અને પુરુષાર્થનો સ્વીકાર છે. પણ જે જીવ મિથ્યા
૧૩૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com