________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
મૂળમાં ભૂલ જ્યારે આવો મોક્ષમાર્ગ પ્રગટ કરે ત્યારે સદ્ગુરુ નિમિત્તરૂપ હોય છે-એ વ્યવહાર છે.
ઉપાદાન એટલે નિશ્ચય અને નિમિત્ત એટલે વ્યવહાર. ઉપાદાન તે સ્વ છે અને નિમિત્ત તે પર પર છે એટલે સ્વ તે નિશ્ચય અને પર તે વ્યવહાર. જે દ્રવ્ય પોતે કાર્યરૂપે થાય તે દ્રવ્ય કાર્યમાં નિશ્ચય છે અને જ્યારે પોતે કાર્યરૂપે થતું હોય ત્યારે અનુકૂળ પર વસ્તુ ઉપર “નિમિત્ત” એવો આરોપ કરવો તે વ્યવહાર છે. આ રીતે નિમિત્ત તો ઉપચાર માત્ર છે. આ સંબંધમાં શ્રી પૂજ્યપાદ સ્વામીએ ઈષ્ટોપદેશમાં કહ્યું છે કે
नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति। निमित्तमात्रमन्यस्तु गतेधर्मास्तिकायवत्।। ३५।।
અર્થ:- અજ્ઞાની જીવ (પર વડે) જ્ઞાની થઈ શકતો નથી તેમ જ જ્ઞાની જીવ (પર વડ) અજ્ઞાની થઈ શકતો નથી. બીજા તો નિમિત્ત માત્ર છે જેમ પોતાની શક્તિથી ચાલનારા જીવપુદ્ગલોને ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ મનુષ્યો સ્વયે જ્ઞાની કે અજ્ઞાની થાય તેમાં ગુરુ વગેરે નિમિત્ત છે.
“ઘર્માસ્તિવયવત' – બધાં નિમિત્ત ધર્માસ્તિકાય સમાન છે. આ એક વાક્યમાં તો નિમિત્તનું ઉપાદાનમાં સર્વથા અકિંચિત્કરપણું બતાવ્યું છે.
જેમ ધર્માસ્તિકાય તો સર્વત્ર સદાય છે, પણ જે પદાર્થો સ્વયં ગતિરૂપ પરિણમે છે તેઓને માટે ધર્માસ્તિકાય ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે, અને જે પદાર્થો ગતિ કરતા નથી તેમને માટે ધર્માસ્તિકાય પર નિમિત્તનો આરોપ આવતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com