________________
સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે જે મદ કરે છે તેના ળ સ્વરૂપે સંસારમાં પરિભ્રમણ થયા કરે એવું કર્મ ઉપાર્જન કરે છે. માટે નિયુક્તિ કાર કોઇ પણ પ્રકારનો મદ કરવાનો નિષેધ કરે છે. આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં પણ આઠ મદ સ્થાનોથી નિવૃત્ત થવાનું કહ્યું છે. દશ વૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનની ત્રીશમી ગાથામાં પણ બીજાનો પરાભવ અને પોતાનો ઉત્કર્ષ કરવાનો નિષેધ કરેલો છે. કારણ કે તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે.
અંગુત્તર પ્રકરણમાં મદના ત્રણ ભેદ ગણાવ્યા છે. (૧) યૌવન મદ, (૨) આરોગ્ય મદ, (3) જીવિત મદ. કારણ કે આ ત્રણ મદોથી મનુષ્યો દુરાચારી બને છે. તે ત્રણમાં આઠે મદનો સમાવેશ થઇ શકે છે. (૧) યોવન મદમાં - જાતિ - કુલ - બલ અને રૂપ મદ આવે. (૨) આરોગ્યમાં – તપ અને શ્રી મદ આવે. (૩) જીવિત મદમાં - લાભ અને એશ્વર્ય મદ આવી શકે છે. મૂચ્છ એટલે મોહ તેના બે પ્રકાર પાડેલા છે. (૧) પ્રેમ પ્રત્યયા મૂચ્છ અને (૨) દ્વેષ પ્રત્યયા મૂચ્છ. પ્રેમ પ્રત્યયા મૂરચ્છના બે ભેદ - માયા અને લોભ. દ્વેષ પ્રત્યયા મચ્છના બે ભેદ- ક્રોધ અને માન એમ ઠાણાંગ સત્રમાં કહેલ છે. આશંસા પ્રયોગ દશ પ્રકારે શ્રી ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. (૧) ઇહલોક આશંસા (૨) પરલોક આશંસા. (૩) ઉભય લોક આશંસા (૪) જીવિત આશંસા (૫) મરણ આશંસા (૬) કામ આશંસા (૭) ભોગ આશંસા (૮) લાભ આશંસા. (૯) પૂજા આશંસા (૧૦) સત્કાર આશંસા
ગુજરાતીમાં જેને નિયાણ કહે છે તે આશંસા પ્રયોગ કહેવાય છે. કોઇપણ સં અનુષ્ઠાન પાછળનો મોક્ષ સિવાયનો જે હેતુ તે આશંસા પ્રયોગ અથવા નિયાણુ કહેવાય છે.
એ ક્રોધાદિ કષાયોનાં મુખ્ય ચાર ભેદો જ્ઞાની ભગવંતોએ જણાવેલા છે જે જીવોના જીવનમાં રોજીંદી ક્રિયા રૂપે વણાઇ ગયેલા છે. લગભગ તે ચારમાંથી કોઇને કોઇ ભેદનો જીવ ઉપયોગ કરતો કરતો પોતાનું જીવન જીવી રહેલો હોય છે. તે નામો.
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાય (૨) પર-પ્રતિષ્ઠિત કષાયા (૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય (૪) અપ્રતિષ્ઠિત કષાય
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાય - જીવ પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી પોતે ને પોતે બળાપો કર્યા કરે નવરો પડે ત્યારે પોતેને પોતે બબડ્યા કરે. રસ્તે ચાલતાં ચાલતાં પણ બબડતો બબડતો ચાલે તે સ્વપ્રતિષ્ઠિત.
(૨) પર પ્રતિષ્ઠિત કષાય - પોતાના નિમિત્તે બીજા જીવોને જે કષાય પેદા થાય તે પર પ્રતિષ્ઠિત કષાય કહેવાય. વાતો કરતાં કરતાં બીજાને ક્રોધાદિ કષાયો પેદા કરાવવા અને તે કષાય પેદા થયા પછી તે વ્યક્તિ ન આવે ત્યાં સુધી આ કષાય ચાલુ રહ્યા કરે તે.
(૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય - એકના કષાયથી બીજાને કષાય પેદા થાય અને બન્નેને કષાય પેદા
Page 75 of 126