________________
૪૬. સ્થિર અશુભ દુર્ભગ દુસ્વર આદેય અયશા ૪૭. અસ્થિર શુભ દુર્ભગ દુવર આદેય અયશ ૪૮. અસ્થિર અશુભ દુર્ભગ દુસ્વર આદેય અયશા ૪૯. સ્થિર શુભ સુભગ સુસ્વર આદેય અયશ ૫૦. સ્થિર અશુભ સુભગ સુસ્વર અનાદેય અયશ ૫૧. અસ્થિર શુભ સુભગ સુસ્વર અનાદેય અયશા પ૨. અસ્થિર અશુભ સુભગ સુસ્વર અનાદેય અયશ. ૫૩. સ્થિર શુભ દુર્ભગ સુસ્વર અનાદેય અયશા ૫૪. સ્થિર અશુભ દુર્ભગ સુસ્વર અનાદેય અયશ પપ. અસ્થિર શુભ દુર્ભગ સુસ્વર અનાદેય અયશા પ૬. અસ્થિર અશુભ દુર્ભગ સુસ્વર અનાદેય અયશ. પ૭. સ્થિર શુભ સુભગ દુસ્વર અનાદેય અયશા ૫૮. સ્થિર અશુભ સુભગ દુસ્વર અનાદેય અયશ ૫૯. અસ્થિર શુભ સુભગ દુસ્વર અનાદેય અયશ ૬૦. અસ્થિર અશુભ સુભગ દુવર અનાદેય અયશ. ૬૧. સ્થિર શુભ દુર્ભગ દુવર અનાદેય અયશ ૬૨. સ્થિર અશુભ દુર્ભગ દુવર અનાદેય અયશ, ૬૩. અસ્થિર શુભ દુર્ભગ દુસ્વર અનાદેય અયશ ૬૪. અસ્થિર અશુભ દુર્ભગ દુસ્વર અનાદેય અયશ
આ ચોસઠ વિકલ્પોમાંથી કોઇને કોઇ વિકલ્પ સન્નીપર્યાપ્તા તિર્યંચ અને સન્ની પર્યાપ્તા મનુષ્યને લાયક પ્રકૃતિઓ જે જે જીવો બાંધતા હોય છે ત તે જીવો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત આમાંના કોઇને કોઇ વિકલ્પનો બંધ કર્યા કરે છે.
ગોત્ર શર્મ
જે કુલ અને જાતિને વિષે ધર્મ અને નીતિનું પાલન બરાબર જળવાઇ રહે એટલે કે તેનું પાલન કરતાં કરતાં પોતાનું જે જીવન જીવાય. ગમે તેવા પ્રસંગમાં પણ તેની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. દુ:ખ આવે તો દુ:ખ પણ સહન કરે અને પુણ્યોદયથી ગમે તેટલી સુખની સામગ્રી મળેલી હોય તો પણ તેની મર્યાદા એટલે કુલ અને જાતિની મર્યાદા જાળવીને એટલે ધર્મ અને નીતિને મુક્યા વગર જે જીવન જીવાય તે ઉચ્ચ ગોત્રકર્મ કહેવાય છે. ધર્મ એટલે બાપદાદાથી જે ચાલ્યો આવતો હોય છે અને નીતિ એટલે જે માલિક હોય. તેને ઠગે નહિ. સ્વજનને ઠગે નહિ. મિત્ર વર્ગને ઠગે નહિ, અને જે કોઇ ભોળો, સરલ માનવ પોતાના ઉપર વિશ્વાસ મુકે તેને ઠગવો નહિ તે નીતિ કહેવાય છે.
જે કુલ અને જતિને આશ્રયીને પરંપરાથી ચાલ્યો આવતો ધર્મ અને નીતિ બન્નેનો નાશ કરે અથવા ધર્મનો નાશ કરે નીતિ જાળવી રાખે અથવા ધર્મ જાળવી રાખે અને નીતિનો નાશ કરે તેવી રીતે જે જીવન જીવવું તે નીચ ગોત્રનો ઉદય ગણાય છે. આ વ્યવહારથી જે બાપદાદાની ચાલી આવતી આબરૂ હોય છે તે નષ્ટ થાય છે. અને તેના કારણે આ જીવન જીવતાં જે પાપ ઉપાર્જન થાય છે તેનું ફળ લગભગ મોટા ભાગે
Page 118 of 126