________________
અસંખ્યાતમા ભાગ જેટલી છે. પહોળાઇ સ્પર્શેન્દ્રિય સિવાય ચારેયની અંગુલના અસંખ્યાતમા ભાગની હોય
વિષય ગ્રહણ - પહેલી ત્રણ એટલે સ્પર્શ - રસ અને ધ્રાણનો ઉત્કૃષ્ટથી ૯ યોજન, રસનેન્દ્રિયનો મતાંતરે ગાઉ પૃથકત્વ, ચક્ષનો નિસ્તેજ વસ્તુ આશ્રી ૧ લાખ યોજન અને સતેજ ૨૧ લાખ યોજન. સૂર્ય-ચન્દ્ર જોઇ શકાય છે તે.
શ્રોબેન્દ્રિયનો વિષય - ૧૨ યોજન છે.
જઘન્યથી ચક્ષનો વિષય અંગુલનો સંખ્યાતમો ભાગ છે અને બાકીની ઇન્દ્રિયોનો જઘન્યથી વિષય અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે.
ચક્ષરીન્દ્રિય અને શ્રોસેન્દ્રિય એ કામેન્દ્રિય કહેવાય છે. સ્પર્શ-રસ અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ભોગેન્દ્રિય કહેવાય છે.
શ્રી ચોથા ઉપાંગમાં ભાવેન્દ્રિય પાંચ કહેલી છે અને દ્રવ્યેન્દ્રિય આઠ કહેલી છે. તેમાં સ્પર્શેન્દ્રિય-૧, રસનેન્દ્રિય-૧, ધ્રાણેન્દ્રિય-૨, ચક્ષરીન્દ્રિય-૨ અને શ્રોબેન્દ્રિય-૨ એમ ૮ થાય છે.
આત્મા મન સાથે જોડાય છે. મન ઇન્દ્રિયો સાથે જોડાય છે. ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે જોડાયા છે. તે જ ઇન્દ્રિય પોતાના વિષયો ગ્રહણ કરવામાં પ્રવર્તમાન થાય છે. બાહ્ય ઇન્દ્રિયો અંગોપાંગ નામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તના ઉદયથી થાય છે અને ભાવેન્દ્રિયો ઇન્દ્રિય આવરણ મતિજ્ઞાનાવરણ-ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણના ક્ષયોપશમથી થાય છે.
ઇન્દ્રિય બોલો કે જાતિ બોલા બે એક જ છે. તેના પાંચ ભેદ છે. (૧) એકેન્દ્રિય જાતિ, એટલે એક સ્પર્શેન્દ્રિય વાળા જીવો જગતમાં જે રહેલા છે તે. (૨) બેઇન્દ્રિય જાતિ - સ્પર્શેન્દ્રિય - રસનેન્દ્રિયવાળા જીવો. (૩) તે ઇન્દ્રિય જાતિ - સ્પર્શ-રસ-ધ્રાણેન્દ્રિયવાળા જીવો. (૪) ચઉરીન્દ્રિય જાતિ - સ્પર્શ-રસ-દ્માણ અને ચક્ષરીન્દ્રિય વાળા જીવો.
અને પંચેન્દ્રિય જાતિ એટલે સ્પર્શ-ર-ધ્રાણ-ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયવાળા જીવો જે રહેલા હોય છે તે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જાતિવાળા જીવો તિર્યંચગતિમાં રહેલા હોય છે. નરક ગતિ - મનુષ્ય ગતિ-દેવગતિ વાળા જીવો નિયમાં પંચેન્દ્રિય જાતિવાળા કહેવાય છે.
નરક ગતિ - અને દેવગતિવાળા જીવો મનપૂર્વકના પંચેન્દ્રિય જાતિવાળા એટલે સન્ની પંચેન્દ્રિય જીવો કહેવાય છે. મનુષ્યગતિ વાળા જીવો બે પ્રકારના હોય છે.
(૧) મન વગરના પંચેન્દ્રિય જીવો અસન્ની પંચેન્દ્રિય જીવો કહેવાય છે. એ નિયમાં અપર્યાપ્તા જ હોય
(૨) મનપૂર્વકના પંચેન્દ્રિય જીવો જે સન્ની પર્યાપ્તા જીવો કહેવાય છે.
(૧) એકેન્દ્રિય જાતિ :- એકેન્દ્રિયમાં જવાલાયક જે નામકર્મનો બંધ કરવો અથવા જીવોને એકેન્દ્રિય જાતિ તરફ લઇ જઇને ત્યાં ઉત્પન્ન કરનાર કર્મ તે એકેન્દ્રિય જાતિ નામકર્મ ગણાય છે.
આ એકેન્દ્રિય જાતિ પહેલા ગુણસ્થાનકે તિર્યંચ ગતિની સાથે પાંચ જાતિમાંથી પરાવર્તમાન રૂપે બંધાય છેશ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં છઠ્ઠા અધ્યયનમાં જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે માતા-પિતા-પતિ-પત્ની-દીકરા-દીકરીઓ પ્રત્યે મોહ રાખીને પોતાનું જીવન જીવે અને ધર્મ આરાધના કરે
Page 103 of 126