________________
સમકીત મોહની રે મિશ્ર મિથ્યાત્વને પરિહરું કામ રાગ રે સ્નેહ દ્રષ્ટિ રાગ સંહરૂં એ સાતે રે બોલ કહ્યા હવે આગલે અંગુલિ વચ્ચે રે ત્રણ વર્ઘટક કરતલે
કરતલે વામે અંજલિધરિ અખોડા નવ કીજિયે પ્રમાર્જન નવ તિમજ કરિયે તિગ તિગંતર લીજિયે. સુદેવ, સુગુરૂ, સુધર્મ આદરૂં પ્રતિપક્ષી પરિહરૂ
વલી જ્ઞાન, દર્શન, ચરણ આદરૂં વિરાધન ત્રિક અપહરૂં...૩ મનોગતિ રે વચન કાયમુર્તિ ભજું મનોદડું રે વચન કાયદંડને તજ પચવીશ રે બોલ એ મુહપત્તિના લહ્યા હવે અંગનારે પરિહરૂં એમ સઘળા કહ્યા.
કહ્યા વધૂટક કરિ પરસ્પર વામ હાથે ત્રિકકારો. હાસ્ય રતિને અરતિ ઝંડી ઇતર કરત્રિક અનુસરો ભય શોક દુર્ગચ્છા તજીને પયાહિણે આચરો.
કૃષ્ણ લેશ્યા નીલ કાપોત લલાટે ત્રિક પરિહરો...૪ રસ ગારવ રે રિધ્ધિ શાતા ગારવા. મુખ હૈડે રે ત્રણ ત્રણ એમ ધારવા. માયા શલ્ય રે નિયાણ મિથ્યાત્વ ટાલિયે વામ ખંધેરે ક્રોધ માન દોય ગાલિયે
ગાલિયે માયા લોભ દક્ષિણ અંધ ઉદ્ઘ અધો મળી ત્રિક વામ પાદે પઢવી અપવળી તેઉની રક્ષા કરી જમણે પગે ત્રણ વાઉ વણસઇ ત્રસકાયની રક્ષા કરૂં
પચાશ બોલે પડિલેહણ કરત જ્ઞાની ભવ હj...૫ એહ માંહેથી રે ચાલીશ બોલ તે નારીને શીશ હૃદયનારે ખંધ બોલ દશ વારીને ઇણ વિધિગ્યું રે પડિલેહણથી શિવ લહ્યો. અવિધિ કરી રે છ કાયનો વિરાધક કહ્યો
કહ્યો કિંચિત્ આવશ્યકથી તથા પ્રવચન સારથી ભાવના ચેતન પાવના કહી ગુરૂ વચન અનુસારથી શિવ લહે જંબૂ રહે જો શુભ વીર વિજયની વાણીએ
મન માંકડું વનવાસ રમતું વશ કરી ઘર આણીએ...૬
આ રીતે પચાસ બોલથી પ્રતિલેખના મુહપત્તિની કરતા કરતા સામાયિક કરવામાં આવે તો જ્ઞાની ભગવંતો કહે છે કે વિનય સચવાય છે, પ્રમાદ ટળે છે, મનનો ઉપયોગ રહે છે. નિર્જરા પેદા થતી જાય છે એમ અનેક પ્રકારે કરેલું સામાયિક શુધ્ધ બનતું જાય છે. જો એ પ્રમાણે કરવામાં ન આવે તો છ કાયનો
Page 7 of 191