SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે ઉદયમાં હોય જ છે. અરતિ. શોકનો બંધ એકથી છ ગુણસ્થાનક સુધી હાસ્ય-રતિની સાથે એક એક અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે હોય છે. હાસ્ય-રતિનો બંધ એકથી છ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે હોય છે અને સાતમા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગ સુધી સતત હોય છે. ભય-જુગુપ્સા ધ્રુવબંધિ રૂપે બંધમાં હોવાથી એકથી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગ સુધી સતત બંધમાં હોય છે. સત્તામાં ધ્રુવ સત્તા રૂપે હોવાથી હાસ્યાદિ-૬ એ દોષો એકથી નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગ સુધી હોય છે. ઉપશમ શ્રેણિ વાળા જીવોને એકથી અગ્યાર ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. સામાન્ય રીતે હાસ્યાદિ છે એને બાંધવા માટે ચાર કારણો કહેલા છે તેમાં બાહ્ય કારણો ત્રણ કહ્યા છે અને અત્યંતર કારણ એક કહેલું છે. બાહ્ય ત્રણ નિમિત્તો (૧) વચનથી અટલે બોલવાથી, (૨) જોવાથી એટલે દ્રષ્ટિથી અને (૩) સાંભળવાથી. (૧) વચનથી એટલે બોલવાથી - જ્ઞાની ભગવંતો કહે છે કે જીવે બોલવાનો ઉપયોગ એવો. રાખવો જોઇએ કે જે પોતાના વચનોથી પોતાને કે બીજાને હાસ્યાદિ દોષો પેદા થવા જોઇએ નહિ. જે વચન સ્મિત વચન પૂર્વકનું હોય તો કોઇપણ જીવને હાસ્યાદિ પેદા થઇ શકે નહિ. આથી વચનો બોલવામાં ઉપયોગપૂર્વક બોલવાનો પ્રયત્ન કરવામાં આવે તો પોતાના અંતરમાં અથવા બીજાના અંતરમાં એ વચનોથી વૈરાગ્ય ભાવ પેદા થવો જોઇએ કે જેથી હાસ્યાદિ પેદા થતાં ભગવાન પ્રત્યે- ભગવાનના સાધુ પ્રત્યે-ભગવાને કહેલા વચનોના શબ્દો પ્રત્યે અથવા ભગવાને કહેલા અનુષ્ઠાનો પ્રત્યે હાસ્યાદિ પેદા થતાં જાય તોજ બહુમાન, આદરભાવ અંતરમાં વધતો જાય અને તોજ એ હાસ્યાદિ આત્મકલ્યાણમાં સહાયભૂત થતા જાય જે પોતાને અને બીજાને વૈરાગ્યભાવ પેદા કરાવીને પ્રશસ્ત રૂપે ઉપયોગી બની શકે જ્યારે આજે લગભગ વચના મોટેભાગે પોતાનો સ્વાર્થ સાધવા માટે અને બીજાના પદાર્થો પોતાના બનાવવા-પડાવી લેવા માટે ઉપયોગી થતા હોય છે આથી એવા વચનો અપ્રશસ્ત રૂપે ગણાય છે. એવી ભાષા એવા શબ્દો પોતાના આત્માને માટે હિતમાં ઉપયોગી થતા ન હોવાથી નુક્શાન કારક ગણાય છે અને બીજા જીવોને માટે પણ હિત થવાને બદલે અહિતમાં ઉપયોગી થતા હોવાથી નુક્શાનકારક ગણાય છે એવા વચનો નિર્જરા કરાવવામાં સહાયભૂત થવાને બદલે હાસ્યાદિ દોષોનો બંધ કરવામાં, કરાવવામાં સહાયભૂત થાય છે અને તીવ્રરસે બંધાય છે તથા તેની સાથે સાથે એટલે એ હાસ્યાદિની સાથે સાથે ચારિત્ર મોહનીય કર્મ પણ તીવ્રરસે બંધાયા છે માટે જ્ઞાની ભગવંતોએ એવા વચનો બોલવાનો નિષેધ કરેલો છે. (૨) જોવાથી એટલે દ્રષ્ટિથી :- જે પદાર્થોને જોતાં પોતાના આત્મામાં હાસ્યાદિ પેદા થાય એટલે કે પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોવાળા પદાર્થો જોવાથી હાસ્ય પેદા થાય, આનંદ પેદા થાય કેટલાક પ્રતિકૂળ પદાર્થોને જોતાં અરતિ પેદા થાય અંતરમાં શોક પેદા થાય, કેટલાક પદાર્થો એવા પ્રકારના હોય કે જે ભય પેદા કરે અને કેટલાક પદાર્થોને જોતાં મોટું બગડે ચીચરી ચડે એવા અનેક પ્રકારના પદાર્થો જગતમાં રહેલા આંખે ચઢે તો પણ એમાંથી કાંઇ પણ આત્મામાં વિકૃતિના વિચારો પોતાને પણ પેદા ન થવા જોઇએ અને બીજાને પણ પેદા થવા ન જોઇએ. એવી રીતે ગૃહસ્થો પોતાના ઘરમાં રાખે. જો એ પદાર્થો પોતાના ઘરમાં સુશોભિત રીતે રાખી બીજાને પણ હાસ્યાદિ પેદા કરાવવામાં નિમિત્ત ભૂત થાય તો તેનાથી રાખનારને પણ Page 140 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy