SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણ સચોટ ઉપાયો છે. જબરજસ્ત ઉપાયો છે માટે તેનો જીવનમાં ખૂબ અભ્યાસ કરી મનને પવિત્રતાના સરોવરમાં ઝીલતું રાખવું. ૯ - આચિન્ય (અપરિગ્રહ) નવમો યતિધર્મ છે આકિંચન્ય. આકિંચને એટલે અપરિગ્રહ. પરિમિત ધર્મ-ઉપકરણ સિવાય પાસે કાંઇપણ ન રાખે તે અકિંચન, અને ન રાખવાપણું ને આકિંચન-પરિગ્રહિતપણું કહેવાય. આ ગુણ કેળવવા વિચારો કે, (૧) પરિગ્રહ એ આત્માને માટે ભારરૂપ છે. તે ભાર જેટલો વધારે તેટલો જીવ વધુ નીચે. દુર્ગતિમાં જાય છે. માટે કહ્યું છે કે મહાપરિગ્રહી નરકે જાય છે. સંસારનું મૂળ આરંભ સમારંભ છે અને એનું મૂળ પરિગ્રહ છે. કેમકે પરિગ્રહ હોય તો આરંભના પાપ થાય છે. સામગ્રી જ ન હોય તો શું કરે ? માટે જગતનું મોટું પાપ પરિગ્રહ છે. જેને મુદલ પાપ જોઇતું નથી, એણે પરિગ્રહનો ગ્રહ છોડ્યે જ છૂટકો. (૨) જેમ શનિ-રાહુ વગેરે ગ્રહોની દશા માણસને ભારે પીડે છે. તેમ આ પરિગ્રહની દશા પણ જીવને ભારે પીડે છે. ઘરમાં રહીને સંપૂર્ણ ધર્મ શક્ય નથી કેમકે ઘરવાસ એટલે પરિગ્રહ રહે જ છે. (૩) પરિગ્રહ ભયંકરચીજ છે, એ હૃદયનો એવો કબજે કરે છે કે પછી એ હૃદયમાં બીજું સારું સુઝતું નથી, વૈરાગ્ય ટકતો કે ખીલતો નથી, (૪) પરિગ્રહ સાચવવાની રામાયણ તો વળી એવી છે કે એમાં કેટલીકવાર તો રૌદ્ર ધ્યાન પણ આવી જાય છે. અને રોદ્ર ધ્યાન નરકનો દરવાજો છે; પછી ભલે આ પરિગ્રહ નાનો હોય કે મોટો. મમ્મણ શેઠ પરિગ્રહના પાપે સાતમી નરકે ગયો. (૫) પરિગ્રહ એ બલા છે. “આવ બલા, પકડ ગળા” એમ એકવાર સંઘર્યા પછી એ છૂટવી કે છોડવી મુશ્કેલ પડે છે. (૬) પરિગ્રહ એ જીવને દુર્ગતિ સાથે લગ્ન કરાવી આપનાર ગોર છે. માટે મુનિને એ પરિગ્રહથી બચાવી લેવા ભોજનની વસ્તુમાં પણ કુક્ષિશંબળ કહ્યા અર્થાત મુનિ પાસે ખાવાનું ભાતુ કેટલું ? કુક્ષિમાં હોય એટલું. બાકી સંગ્રહખાનામાં કાંઇ ન મળે. (૭) પરિગ્રહ એ પિશાચ છે. ધીમે ધીમે પોતાનું સ્વરૂપ વધારી મૂકે છે. તેથી કલ્યાણકામી આત્માએ પહેલેથીજ ચેતી જઇ અભ આરંભ-પરિગ્રહનું જીવનસૂત્ર રાખવું જોઇએ. મુનિ તો પરિગ્રહ માત્રથી દૂર જ રહે. ૧૦ - બ્રહ્મચર્ય દશમો. યતિધર્મ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એ તો વ્રતોમાં દીવો છે. એ હોય તો બીજા વ્રતો ઉજળા-પ્રકાશિત રહે છે. બ્રહ્મચર્ય વ્રત બીજા વ્રતોમાં મુગટ સમાન છે. ઇન્દ્રો સભામાં બેસતાં પહેલાં વિરતિધરને પ્રણામ કરે છે. વિરતિધરમાંથી બ્રહ્મચર્ય ચાલ્યું ગયું તો કાંઇ ઇન્દ્રો નમે કરે નહિ. બ્રહ્મચર્યના લાભ -બ્રહ્મચર્યના લાભ અગણિત છે. એનાથી શરીરના રાજા સમાન વીર્યનું સંરક્ષણ થાય છે. જે પછી ઇન્દ્રિયોને વધુ તેજસ્વી અને દીર્ધકાળ સુધી સશક્ત રાખે છે. મોંની કાન્તિ વધે છે. ખોટી વાસનાઓ થતી નથી, તેથી મન પવિત્ર તેમજ સ્વસ્થ રહી શકે છે. એવા પવિત્ર અને સ્વસ્થ મનમાં સારી સારી તત્વ વિચારણાઓ ક્રુ છે. પવિત્ર મહાવ્રતોની ભાવના જાગ્રત રહે છે. બ્રહ્મચારીનું ધાર્યું સળ Page 121 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy