SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પછી, કિંતુ પળે પળે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હિંસાથી બચવાની કાળજી અને સંયમ જાણવા-સમજવાનું પણ બીજે ક્યાં મળે ? અનંતજ્ઞાની અરિહંત દેવોએ સ્વયં આરાધેલું અને જગતને ભાખેલું એ સંયમ મને મહાપુણ્યે સમજવા મળ્યું, તો એને હું જરૂર આરાધી લઉં” આવી ધગશ રહેવી જોઇએ; અને સાથે સંયમનો ઉગ્ર પુરૂષાર્થ જોઇએ; સંયમમાં ઇન્દ્રિય સંયમ મનઃસંયમ વગેરે પણ કેળવવાના છે. ૭ - સત્ય યતિધર્મમાં સાતમો ધર્મ સત્ય છે. સત્ય આમ તો પ્રસિધ્ધ ગુણ છે. પરંતુ સાધુ જે સત્ય આદરે છે, તે સૂક્ષ્મ કોટિનું હોય છે. સાધુને માત્ર વાચિક અસત્ય જ ત્યાજ્ય હોય છે એમ નહિ, પણ માનસિક અસત્ય પણ ત્યાજ્ય હોય છે. તેમજ કોઇ અસત્ય બોલે એમાં સંમતિ કે રાજીપો રાખવાનું પણ ત્યાજ્ય હોય છે. ક્રોધાદિ કષાયથી, ભયથી કે હાસ્યાદિથી જૂઠ બોલવાનો મુનિને ત્યાગ હોય છે. ત્યારે સાચું પણ વચન જો સાવધ હોય, જીવઘાતક હોય કે સામાને અપ્રિય લાગે તેવું હોય તો તેય બોલવાનું હોતું નથી. મેતારજ મુનિએ, ફ્રેંચ પક્ષી જવલા ચણી ગયું છે એ સત્ય હોવા છતાં, એ વચન જીવઘાતક હોવાથી સાનીને ન કહ્યું. જો કહે તો પક્ષીને કદાચ સોની મારી પણ નાંખે. તેમજ એ પણ વાત છે કે સોનીના જ્વલાની વાત સાવધ છે, સાંસારિક છે. મુનિ સાંસારિક બાબતમાં પડે નહિ. આમ મેતારજ મુનિએ કાંઇ ન બોલતાં મૌન રાખ્યું. આમ સાચું હોવા છતાં જો અપ્રિય લાગે એમ હોય તો ન બોલી શકાય. દા.ત. કાણાને કાણો કે આંધળાને આંધળો ન કહેવાય, આવી રીતની મર્યાદાઓ સાચવીને મુનિવરો સત્યને વળગી રહે છે. જીવનભર સત્યને છોડતા નથી. સત્યનું મહત્વ - સત્ય એક મહાન ગુણ છે, જીભનો અલંકાર છે, પ્રતિષ્ઠાનો હેતુ છે, પાપથી બચાવનાર છે, તેમજ સત્યવાદીનો સૌ કોઇ વિશ્વાસ કરે છે. જૂઠનાં નુક્શાન :- અસત્ય બોલવાથી (૧) લોકોના વિશ્વાસ ગુમાવાય છે. (૨) અવસરે સાચું બોલેલું પણ ‘ વાઘ આવ્યો રે વાઘ' ની જેમ અસત્યમાં ખપે છે. (૩) મન બગડે છે, મનમાં બીજી અનેક પાપ વિચારણા જાગે છે. (૪) પાછળથી પશ્ચાતાપ થાય છે. (૫) કેટલીકવાર એક અસત્યનો બચાવ કરવા માણસ બીજા અનેક અસત્ય બોલવા માંડે છે. અથવા બોલવાનો પ્રસંગ કદાચ ન આવે તો પણ મનમાં ગોઠવી રાખે છે. (૬) અસત્યથી ઘણાં માઠાં કર્મ બંધાય છે. જેનાં ફ્ળરૂપે ભવાંતરમાં જીભ જ નથી મળતી, અથવા મળે છે તો સડેલી મળે છે, કે તોતડા બોબડાપણું મળે છે. (9) નરક સુધોના ભયંકર દુઃખો મળે છે. વસુરાજા અસત્યથી નરકમાં ગયો. આ જીવે આજ સુધી પૂર્વના બહુ ભવોમાં અસત્યની મહાકુટેવો પાડી છે, તેથી સ્વાર્થ ઊભો થતાં અસત્ય બોલવાનું મન થઇ જાય છે. એ કુટેવ જો અહીં તાજી કરી તો આગળ પરિણામ ખતરનાક આવે છે, અને આ ભવની ભૂલના ગુણાકાર થાય છે. માટે અહીં તો અસત્યને સ્વપ્રમાંથી પણ દૂર કરવું જોઇએ. ગમે તેવા કષ્ટમાં પણ સત્ય વચનની સચોટ ટેવ પાડવી જોઇએ. એકવાર હિંમત કેળવી સત્ય સાચવતા થઇ ગયા પછી તો સત્યનો સ્વભાવ થઇ જાય છે. માટે “ભલે કષ્ટ આવો પણ સત્ય ન જાઓ. ભલે આફ્ત આવો, પણ Page 119 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy