SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રચ્છના.' (0) પ્રતિકૃચ્છા - ગુરુએ શિષ્યને કોઇ કાર્ય કરવાનો આદેશ કર્યો હોય તેને બજાવવાના અવસરે શિષ્ય ક્રીથી ગુરુને પૂછવું કે ‘આપે માવેલ કાર્ય માટે જાઊં છું અગર કાર્ય શરૂ કરું છું અને પ્રતિપૃચ્છા કહેવાય. આ કરવાનું કારણ એ છે કે કદાચ તેવી જરૂર ન હોય અગર બીજી રીતે કે બીજું કાર્ય કરવાનું હોય તો, ગુરુ, પૂછવા ગયેલા શિષ્યને તે પ્રમાણે માવી શકે. બીજી રીતે પ્રતિપૃચ્છા શાસ્ત્ર એમ બતાવે છે કે કાર્ય કરવા નીકળતાં કોઇ અપશુકન યા અનિષ્ટ શબ્દનું શ્રવણ વગેરે દુર્નિમિત્ત ઉપસ્થિત થાય તો આઠ શ્વાસોચ્છવાસ-પ્રમાણ અર્થાત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી નીકળતાં ફ્રી દુર્નિમિત્ત ઊભું થાય તો દ્વિગુણ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. તે પછી પણ નીકળતાં દુર્નિમિત્ત ઊભું થાય તો સંઘાટકમાં નાનાને આગળ કરી મોટાએ પાછળ રહેવું. ત્યાં ગુરુને ી પૂછવું તે પ્રતિપૃચ્છા. હવે શિષ્ય એક વાર પૂછયું તો ખરું, પણ એમેય બને કે-ગુરૂ તે વખતે તે પ્રવૃત્તિને કરવાનો નિષેધ પણ કરે : “આ કરવા જેવું નથી' –એમેય કહી દે: આમ છતાં પણ, શિષ્યને કોઇ એવો પ્રસંગ હોય તો એમ પણ લાગે કે- “ગુરૂએ નિષેધ તો કર્યો, પણ અમૂક કારણો એવાં છે કે-આ કરવું જ જોઇએ. આવા પ્રસંગે શિષ્ય શું કરે? ગુરૂ એક વાર નિષેધે એટલે ચૂપ તો થઇ જાય, પણ પછી થોડો સમય જવા દઇને, ફ્ર ગુરૂની પાસે તે કાર્ય કેમ કરવા જેવું છે-એનાં કારણો રજૂ કરે અને કારણો રજૂ કરીને શિષ્ય કહે કે “ આ આ કારણોસર આ કૃત્ય કરવું છે : એટલે જો આપ પૂજ્ય આંજ્ઞા માવતા હો તો હું કરૂં.' આ પ્રમાણે પુનઃ પૂછવું તે અથવા તો ગ્રામાદિએ જવાની આજ્ઞા પામેલા શિષ્ય ગમનકાળે પુન: પૂછવું તે, આનું નામ છેપ્રતિપ્રચ્છના.' (૮) છંદના - વહોરી લાવેલ આહારાદિનો લાભ આપવા, ગુરૂની આજ્ઞા મેળવીને ગ્લાન, બાળા આદિને નિમંત્રણ કરવું તે દના. અહીં ગુરુ આજ્ઞાથી કહ્યું એ સૂચવે છે કે સ્વતંત્રતાથી કે સામાન્ય રત્નાધિકના આદેશથી નહિ. બીજું લેનારને પણ નિર્જરા છે, અને સામાએ ન લીધું તો પણ વિનંતી કરનારને નિર્જરા છે, માત્ર મનના પરિણામ નિર્મળ જોઇએ. સાધુએ આહારસ્પાણીની સામગ્રી લાવ્યા પછીથી- “મારી ઉપર અનુગ્રહ કરો અને આપ આ વાપરો’ -આ પ્રકારની બીજા સાધુઓને વિનંતિ કરવા દ્વારા, પોતે પૂર્વે આણેલા અશનાદિનો પરિભોગ કરવાને માટે અન્ય સાધુઓને ઉત્સાહિત કરવા, આનું નામ છે- “છંદના.' (૯) નિમંત્રણા - સ્વાધ્યાય-ધ્યાન કરી લીધા પછી રત્નાધિકની સેવા વૈયાવચ્ચનું કાર્ય ન હોય તો ગુરુની રજા માગે કે હું મુનિઓ માટે આહારપાણી લાવું? જો રજા મળે તો પછી મુનિઓને વિનંતિ કરે ‘હું તમારા માટે શું લાવું ?' આને નિમંત્રણા કહેવાય. આનો લાભ દરિદ્ર માણસને રત્નાકરનું રત્ન મળી જવા. જેવો છે. આથી ભાવી મોક્ષ સુધીનો લાભ અને અનિત્ય દેહાદિનો ઉત્તમ સદુપયોગ થાય છે. પોતે જે વસ્તુ લાવ્યા નથી એવી પણ અશનાદિની વસ્તુને માટે- “હું તે વસ્તુ મેળવીને આપને આપીશ.” આ પ્રમાણે કહીને સાધુઓને તે વસ્તુને માટે નિમન્ત્રણ કરવું, આનું નામ છે નિમન્ત્રણા.” દશમી છે ઉપસંપદ્ ! શ્રુતાદિના કારણે “હું આપનો છું.' એમ કહીને અન્ય આચાર્ય મહારાજ આદિનો સ્વીકાર કરવો, આનું નામ છે- “ઉપસંપર્ક સામાચારીપાલનની આવશ્યક્તા: Page 113 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy