SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ઇચ્છાકાર- મુનિ-જીવનમાં મુખ્યપણે પોતાના કાર્ય પોતેજ બજાવવાનાં છે. પરંતુ જો (૧) અમુક કાર્ય માટે પોતે અશક્ત હોય, અથવા (૨) એની આવડત ન હોય, અથવા (૩) શક્તિ અને આવડત બન્ને હોવા છતાં કોઇ ગ્લાનની સેવા આદિ કાર્યમાં પોતે રોકાયેલ હોય. તો પોતાનું કાર્ય બીજા પાસે કરાવવાનું રહે. તેમ જો બીજાની એ સ્થિતિ હોય, તો પોતે એનું કાર્ય કરી શકે, પરંતુ નહિકે ગમે તેમ. કેમ કે કારણ વિના કરવા-કરાવવામાં સુખશીલતા, પ્રમાદ, ધિઠ્ઠાઇ, વગેરે દોષ પોષાવાનો સંભવ છે. હવે બીજાનું કાર્ય કરવાનો પ્રસંગ હોય ત્યાં તેને પૂછવું જોઇએ કે ‘તમારી ઇચ્છા હોય તો હું આ કાર્ય કરૂં.' જો સામો અનિચ્છા બતાવે તો એના કાર્યમાં બલાત્કારે હાથ ન ઘલાય. આનું નામ ઇચ્છાકાર સામાચારીનું પાલન કહેવાય. ઇચ્છાકાર સુહ રાઇથી ઇચ્છાકારેણ સંદિસહ વગેરે સુત્રમાં પણ પહેલી ઇચ્છા પૂછવાનું કરાય છે, એ આ સામાચારીનું પાલન છે. પોતાને પણ ઉપરોક્ત કારણ ઉપસ્થિત થયું હોય અને બીજા પાસે પોતાનું કાર્ય કરાવવું પડે, તો ત્યાં પણ બીજાને આમ કહેવાનું કે ‘ તમારી ઇચ્છા હોય તો આટલું મારૂં કાર્ય કરી આપો.’ આમ બીજા પાસે એની ઇચ્છા પૂર્વક જ કાર્ય કરાવાય પણ આજ્ઞા કે બલાત્કારથી નહિ. એવો આપ્ત પુરૂષોનો આદેશ છે. પોતાનું સામર્થ્ય હોય તો બીજાને તે કાર્ય કરવા માટે પ્રાર્થના નહિ કરવાની કેમકે સાધુએ વીર્યને ગોપવવું ન જોઇએ. અલબત કોઇ વિશિષ્ટ નિર્જરાના કાર્યમાં રોકાવું પડ્યું હોય તો જુદી વાત. જો કાઇ સાધુ ડાંડ જેવો હોય તો ગુરુ એને ઇચ્છા ન પુછતાં આજ્ઞા કરીને પણ એની પાસે કાર્ય કરાવી શકે, અલબત ત્યાં પણ એ સહેજ પણ ‘પ્રજ્ઞાપનીય' અર્થાત્ કહ્યું ઝીલે તેવો હોય તોજ આજ્ઞા થાય, પણ જો ગાઢ અયોગ્ય હોય તો તેવાને આજ્ઞા પણ ન કરે. (૨) મિથ્યાકાર- સમિતિ ગુપ્તિ વગેરે સંયમના યોગમાં પ્રવર્તતા મુનિને સહેજ પણ સ્ખલના થાય, અર્થાત્ સંયમને બાધક લેશ પણ કાંઇ આચરાઇ જાય તો ત્યાં તરત ‘મિચ્છા મિ દુક્કડં' કહેવાનું. અર્થાત્ ‘આ મારૂં મિથ્યા ચારણ એ દુષ્કૃત્ય છે.’ અથવા ‘ આ મારૂં દુષ્કૃત્ મિથ્યા થાઓ. હું એનાથી પડિક્કમું છું.’ આમ કરવું એને મિચ્છાકાર-મિથ્યાકાર સામાચારીનું પાલન કહેવાય. એમાં શુદ્ધ અધ્યવસાય જોઇએ. અર્થાત્ સંવેગ એટલે કે શુદ્ધ સંયમનો રાગ જોઇએ, વળી એવી ભૂલ ફરીથી ન કરવાનો ભાવ પણ સાથે જોઇએ. એવા શુદ્ધ ‘ મિથ્યા દુષ્કૃતોથી મિથ્યાચરણનું પાપ ધોવાઇ જાય છે. આમાં ભાવની શુદ્ધતા-તીવ્રતા લાવવા ‘ મિચ્છા મિ દુક્કડં’ પદના દરેક અક્ષરમાં આગમમાં બતાવેલ ભાવ હૃદયમાં ઉભા કરવા જોઇએ. જેમ કે,‘મિ’ થી મૃદુતા; ‘ છા’થી દોષનું આચ્છાદન અર્થાત્ ફરી ઉભો ન થાય તેમ કરવું તે; બીજા ‘મિ’ થી ચારિત્રરૂપી મર્યાદામાં પોતાની વ્યવસ્થિતતા; ‘દુ’ થી દુષ્કૃતકારી પોતાના આત્માની દુર્ગંછા, ‘ક્ક’ થી કરેલી સ્કૂલનાનું ‘ડ' થી ઉપશાન્ત બની કરાતું ડેવન અર્થાત્ ઉલ્લંઘન; તે પાપ-દોષના ભાવને લંઘી આરાધનાના ભાવમાં આવવું. કોઇ અકૃત્ય થઇ જાય ત્યારે, તેનો ખ્યાલ આવતાંની સાથે જ- ‘આ મેં ખોટું કર્યું’ -એમ થવું અને એ રીતિએ અસત્આક્રિયાથી નિવૃત્ત થવું, મિચ્છા મિ દુક્કડં દેવું, એનું નામ છે ‘મિચ્છાકાર.’ (૩) તથાકાર- તથાકાર એટલે વચનને શંકા રહિત પણે કે કોઇપણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના ‘તિહત્તિ’ કરવું તે. સૂત્રની વાચના સાંભળતાં કે બીજો સામાચારી અંગેનો ઉદ્વેગ સાંભળતા અથવા સૂત્રાર્થ લેતાં ‘ આપ જેમ કહો છો તેમ જ છે,’ ‘તહત્તિ’ ‘ તથૈવ’ ‘મારે તે નિઃસંદેહ માન્ય છે'; આવું વચન બોલવું તે તથાકાર. અહીં કહ્યું છે કે જો ગુરુ કલ્ય શું ? અકલ્પ્ય શું, એને બરાબર સમજતા ન હોય તો ત્યાં Page 111 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy