SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓનાં ચિત્રો એ પણ વિષયની વાસના જગાડવાને માટે ગજબનાક સામગ્રી છે. સ્ત્રીઓના સહવાસમાં અને સ્ત્રીઓનાં ચિત્રોવાળા મકાનમાં અથવા તેવા પ્રકારના આસનમાં રહેવાની વૃત્તિવાળા જરૂર ભયંકર મનોદશાના સ્વામિઓ છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ માનવાનું કારણ નથી. સ્ત્રીઓ અને સ્ત્રીઓનાં ચિત્રોવાળી વસતિ અને તેવા પ્રકારનું આસન જેમ ત્યાજ્ય છે, તેમ નપુંસકાવાળી વસતિ અને તેવા પ્રકારનું આસન પણ ત્યાજ્ય છે. “પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ.'-આ ત્રણ પ્રકારના વેદો છે. આ ત્રણ વેદોમાં ત્રીજો વેદ એ ભયંકર છે. એ ત્રીજા વેદના ઉદયવાળા આત્માઓ મહામોહકર્મવાળા હોઇ, સ્ત્રીઓ અને પુરૂષો-એ ઉભયના સેવનમાં રક્ત હોય છે. એવા આત્માઓના વસવાટવાળી વસતિનો અને તેવાઓથી સેવાતા આસનનો પરિત્યાગ, એ પણ બ્રહ્મચર્યના સુવિશુદ્ધ પાલન માટે આવશ્યક છે-આવી ભાવના પણ સાચા બ્રહ્મચારીના અંતરમાં અવિરતપણે વર્તનાર હોય. સંભાવ્યમાન મૈથુનવાળાં પશુઓ, જેવાં કે-ગાય, ભેંસ, ખચરી, ગધેડી, બકરી અને બોકડી આદિ, એ વસેલાં હોય એવી વસતિ અને એવું આસન, એ પણ તજવા યોગ્ય છે. એ જ રીતિએ એવી ભીંત આદિના એવા આંતરે રહેવાનો પણ ત્યાગ કરવો જોઇએ, કે જ્યાં રહ્યાં થકાં દમ્પતિના મોહ પમાડનાર શબ્દો સંભળાય. બ્રહ્મચર્યના ભંગમાં એવા શબ્દોનું શ્રવણ પણ કારણ બની જાય છે. આથી એનોય પરિત્યાગ કરવો એ જરૂરી છે. આવી વસતિ અને આસન તથા કુડ્યાન્તરના આસેવનથી કેવી કેવી રીતિએ નુક્સાન થાય, એ વાત સમજાવવાને માટે વિશેષ વિવેચનની જરૂર નથી. તમે જો તમારો અનુભવ સમ્યપણે વિચારો, તોપણ તમને આ વાત સહેલાઇથી સમજાઇ જાય એવી છે. આ ત્રણના પરિત્યાગની મનોદશા, એ ચાથા મહાવ્રતની પ્રથમ ભાવના છે. આજે આ ભાવના સામે પ્રબળ વિરોધ કરનારા અનેક દમ્મશીલ આત્માઓ જમ્યા છે, પણ વર્તમાનમાં આ ભાવનાનેય મુનિઓએ ખૂબ જ દ્રઢ બનાવવી એ જરૂરી છે. આના વિના ચોથા મહાવ્રતની વિશુદ્ધિ કલંકીત થવી એ અતિશય સંભવિત છે, માટે આમાં સહજ પણ શિથિલતા આવવા દેવી નહિ. તીવ્ર કામવાસનાના પ્રતીક સમાં મકાનો - આજે સારા ગણાતા ગૃહસ્થોનાં ઘરો પણ કામજનક ચિત્રોથી ભરપૂર બનવા લાગ્યાં છે. આદર્શ ચિત્રોનું સ્થાન આજે કામજનક ચિત્રોએ લીધું છે. ચાહે તેટલા ઉપદેશથી પણ આજે આનો બહિષ્કાર અશક્યપ્રાયઃ બન્યો છે. અબ્રહ્મનો ત્યાગ નહિ કરી શકનારા ગૃહસ્થો માટે પણ આ નામોશીજનક જ વસ્તુ છે. તેઓ આવી કામજનક ચિત્રશાળાઓ ઉભી કરે, એ તો તેઓના અંતરમાં રહેલી તીવ્ર કામવાસનાનું પ્રતીક છે. એવાઓનું અંતર સદાય કામવાસનાઓથી જળતું રહે છે. એવાઓ જીવનમાં કયી વખતે અનાચારના માર્ગે ઉતરી જાય, એ કલ્પવું મુશ્કેલ છે. સાધુઓએ આવી વસતિઓથી ખૂબ જ બચવું જરૂરી છે. આવી વસતિઓમાં રહેવાથી કલુષિત મનોદશા થયા વિના રહેતી નથી. વારાંગનાઓનાં અને વિલાસિઓનાં મકાનો જેવાં મકાનોમાં વસવું, એ જ્યાં સારા ગૃહસ્થને માટેય ઠીક નથી, ત્યાં વળી સાધુઓ માટે તો એવાં મકાનો કેમ જ હિતાવહ હોય ? આ વસ્તુ ઉપર આ વીસમી સદી ખૂબ જ સાવચેતી માગે છે. વિષમ કાલમાં સાવચેતી નહિ રાખનારા સારા પણ ભાનભૂલા બની જાય છે. આથી આ કાલમાં એવી વસતિ અને એવાં આસનોથી બચવા માટે ખૂબ જ સાવચેત રહેવાનું છે. આ સઘળાનું તાત્પર્ય એક જ છે અને તે એ કે-જે સ્થાને રહેવાથી, Page 93 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy