SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વિના ચાલે એવું નથી. હજુ પણ બનવું જોઇએ - સુમાર્ગે લાગીને સુસાધુધર્મના પાલન દ્વારા શ્રી સિદ્ધપદને અલ્પકાલમાં જ સાધવાના અથિએ જેમ પાપવ્યાપકોના પરિત્યાગ માટે પ્રયત્નશીલ બનવાની જરૂર છે, તેમ હજુ બનવાની પણ જરૂર છે. હજતા એટલે સરલતા નામનો ગુણ પામ્યા વિના, આત્મા હજ એટલે સરલ બની શકતો નથી. માયાવી આત્મા આ સુસાધુધર્મની આરાધના માટે નાલાયક છે. માયા, એ એક એવો દોષ છે, કે જે આત્માને સુસાધુધર્મની આરાધના સુખપૂર્વક કરવા દે નહિ. માયા, એ અસત્યની માતા છે. અનંત ઉપકારિઓ ક્રમાવે છે કે-પ્રાયઃ કરીને માયા વિના અસત્યનો ઉપયોગ હોતો નથી. પરનું વંચન કરવાના પરિણામ રૂપ જે માયા, એ સુસ્વભાવતા રૂપ વૃક્ષના વિનાશ માટે કુહાડાનું કામ કરનારી છે. માયાશીલ આત્મા સુંદર સ્વભાવને જીવનમાં જીવી શકતો નથી. માયાશીલતા, એ સુંદર સ્વભાવશીલતાની પ્રતિપક્ષિણી છે. મિથ્યાજ્ઞાન, એ જ્યારે સુંદર સ્વભાવનો શત્રુ છે, ત્યારે માયા, એ મિથ્યાજ્ઞાન રૂપ અવિધાની જન્મભૂમિ છે ! આ જ કારણે , માયાવી આત્મા દુર્ગતિનો અધિકારી હોઇ, સુસાધુપણાના પાલનમાં પરમ સહાયક એવી બદસુતાને પામતો નથી. બકવૃત્તિને ધરતા અને કુટિલતાને આચરવામાં હોંશિયાર એવા માયાવિઓ જગતને ઠગવાનો પ્રયત્ન કર્યા કરે છે, પણ સાચા રૂપમાં તેઓ પોતે જ ઠગાય છે : કારણ કે-એ માયાવીપણું તેમને ભયંકર ભવસાગરમાં ભટકાવે છે. માયાદેવીની ઉપાસનામાં પડેલા સૌ કોઇ સરલતાના વૈરી બની, પોતાની જાતને આ સુસાધુમાર્ગ રૂપ પ્રથમ કોટિના ધર્મની આરાધના કરવાની જે લાયકાત-તેનાથી વંચિત રાખે છે અને સંસારમાં ભટકવાનું ચાલુ રાખે છે. જગતની માયામયતા - આ જગતમાં માયાનું સામ્રાજ્ય કમ વ્યાપેલું નથી. કેવળ અર્થ અને કામની ઉપાસનામાં પડેલા અજ્ઞાન જીવો કેવી રીતિએ માયાવી વ્યવહાર ચલાવી રહ્યા છે, એ પણ સમજવા જેવું છે. માયાની ઉપાસનામાં આનંદ માનતા રાજાઓ અર્થના લોભથો સઘળાય લોકને ઠગે છે. રાજાઓ સઘળાને ઠગવા માટે પ્રપંચનાગુણોનો આશ્રય લઇ અનેક રીતિએ પોતાની ઠગવિધાનો ઉપયોગ કરે છે. એ જ રીતિએ માયામાં સર્વસ્વ માનનારા બ્રાહ્મણો, કે જેઓ અંદરથી અપ્રમાણિક હોઇ સાર વિનાના છે, તેઓ પણ બહારના આડમ્બરથી તિલકો દ્વારા, મદ્રા દ્વારા, મન્ટો દ્વારા અને પોતાની ક્ષામતાના દર્શન દ્વારા લોકને ઠગે છે. માયાને ભજનારા વાણિયાઓ પણ ખોટાં તોલ, ખોટાં માન અને શીઘ્રકારિતા આદિ અનેક પ્રકારોથી ભોળા લોકને ઠગે છે. બતાવવું કાંઇ અને આપવું કાંઇ-એ વગેરેમાં માયાવી વાણિયાઓ એવા ઝડપી હોય છે કે-ભોળાઓને વાત-વાતમાં ઠગી શકે છે. તેઓ તોલ અને માપમાં એવી શીવ્રતાથી ચાલાકી કરી શકે છે કે-ભોળાઓ ભાગ્યે જ કળી શકે. હૃદયમાં નાસ્તિક્તા છતાં, અનેક જાતના યાગિના વેષમાં પાખંડને ભજનારા માયાવિઓ પણ જટાધારી બનીને, મુંડ બનીને તથા શિખા, ભસ્મ, વલ્કલ કે નગ્નપણું આદિ ધરીને ભોળા શ્રદ્ધાળુઓને ઠગે છે. આવા ઠગારાઓ જગતમાં ઓછા નથી હોતા.રાગ વિનાની હોવા છતાં રાગ બતાવવાની કળામાં કુશળ અને હાવ, ભાવ, લીલા પૂર્વકની ગતિ અને વિલોકનો દ્વારા કામિઓને રંજિત કરતી Page 73 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy