SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શકે છે, એ વાત શંકા વિનાની જ છે; પરંતુ એ પ્રથમ ધર્મને આરાધવા માટે, તેને આરાધવા ઇચ્છતા આત્માએ અનેક ગુણોથી અલંકૃત બનવું, એ અતિશય જરૂરી છે. શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ‘સુસાધુધર્મ અને ગૃહિધર્મ' -આ બે પ્રકારના ધર્મમાંથી પ્રથમ પ્રકારના ધર્મને સારી રીતિએ સેવનારા પુણ્યાત્માઓ અલ્પ કાલમાં જ મોક્ષને પામે છે, -આ વાત એટલી બધી યુક્તિસિદ્ધ છે કે-આની સામે કોઇ પણ સમજુ પ્રશ્ન પણ કરી શકે તેમ નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર રૂપ જે સુમાર્ગ એમાં મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદના દ્વારા લાગી ગયેલો આત્મા જ, આ ‘ સુસાધુધર્મ’ નામના પ્રથમ ધર્મને સાચા રૂપમાં આરાધી શકે છે; અને એવો આત્મા ઘણા જ અલ્પ કાલમાં અપવર્ગપુર એટલે મોક્ષ-તેને પામે, એમાં શંકા એ કારમા અજ્ઞાન સિવાય શક્ય નથી. આવા અનુપમ અને અજોડ એવા સુમાર્ગની આરાધનામાં ત્રિવિધે ત્રિવિધે મચેલો આત્મા, અલ્પ કાલમાં જ શિવપુરને સ્વાધીન બનાવે, એમાં અસંભવિત જેવું શું છે, કે જેથી શંકાનો આવિર્ભાવ શક્ય બને ? સુમાર્ગના સ્વરૂપને જેઓ ન સમજે તેઓને જ આમાં શંકા જન્મે. બાકી, સન્માર્ગના સ્વરૂપને જાણનારા આત્માઓના અંતરમાં તો એવી શંકા જન્મવાને કોઇ કારણ જ નથી. પરીક્ષાની આજ્ઞા : પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યારિત્ર રૂપ મોક્ષમાર્ગની આરાધનામાં ત્રિવિધે ત્રિવિધે લાગી જવું, એ કાંઇ સાધારણ વસ્તુ નથી. એ સન્માર્ગને આરાધવામાં લાગી જવા દ્વારા સુસાધુધર્મને સારી રીતિએ આરાધી અલ્પકાલમાં મોક્ષ મેળવવા માટે ઘણી ઘણી લાયકાતો આત્મામાં પ્રગટાવવી જોઇએ. સન્માર્ગની આરાધનામાં લાગી જઇ, સુસાધુધર્મને સાધવા દ્વારા ઘણા જ અલ્પકાલમાં મોક્ષ મેળવવા ઇચ્છનારાએ, પ્રથમ તો સાવધ કાર્યોના પરિવર્જનમાં ઉધુક્ત બનવું જોઇએ. જે આત્મા પાપમય કાર્યોના પરિત્યાગમાં પ્રયત્નશીલ નથી હોતો, તે આત્મા આ સુસાધુધર્મને સાચા રૂપમાં કોઇ પણ રીતિએ આરાધી શકતો નથી. ઉપકારિઓએ તો, દીક્ષાર્થિની પરીક્ષા માટેય, આ વસ્તુને તપાસવાની આજ્ઞા માવી છે. જ્યાં દુરાગ્રહ હોય છે ત્યાં સ્વાભાવિક રીતિએ મિથ્યા ભાવનું અન્ધપણું આવી જાય છે. ‘આમ કરવાથી પાપ લાગે અગર તો અમુક પ્રવૃત્તિ એ પાપ પ્રવૃત્તિ છે.’ -એમ ગુરૂ દ્વારા કહેવામાં આવે, તે છતાં પણ જે આત્મા એ પ્રવૃત્તિ કરતાં આંચકો ન અનુભવે, એવો આત્મા દીક્ષા માટે લાયક નથી. પ્રશ્નશુદ્ધ અને કથાશુદ્ધની પણ પરીક્ષા કરવી-એમ શાસ્ત્રો સ્પષ્ટ શબ્દોથી રમાવે છે. દશ્મિઓ દમ્ભના બળે પ્રશ્નપરીક્ષા અને કથાપરીક્ષામાં પાસ થવાનું કૌશલ્ય ધરાવતા જ હોય છે : આ જ કારણે શ્રી ધર્મબિન્દુની ટીકામાં સાફ શબ્દોથી રમાવ્યું છે કે-અસત્યો સત્ય જેવાં દેખાય છે, માટે એવાઓની પરીક્ષા જરૂર કરવી. પ્રશ્નશુદ્ધ અને કથાશુદ્ધનો અભ્યુપગમ કરીને પણ, તેને દીક્ષિત કરતાં પહેલાં, તેની જરૂરી પરીક્ષા જરૂર કરવી, એમ ઉપકારિઓ માવે છે. સમ્યગ્દર્શનાદિની તેની પરિણતિની પરીક્ષા પરિચય વિના શક્ય નથી : અને એ માટે ‘પ્રાયઃ છ માસ’ નો કાલ સૂચવવામાં આવ્યો છે.પ્રાયઃ દ્વારા એ સૂચવ્યું છે કે-પાત્રની અપેક્ષાએ પરીક્ષાકાલ છ માસથી અલ્પ પણ થઇ શકે છે અને અધિક પણ થઇ શકે છે. જીવનભર પાપમાર્ગને પ્રમાદથી પણ ન આચરવાના માર્ગે જેને લેવો છે, તેની પાપભીરૂતા પણ ન તપાસવી, એ ન્યાય ક્યાંનો ? બાળક તો કુણું હોય છે; એને જેમ વાળીએ તેમ એ વળે એવું હોય છે; એમ છતાં પણ એનાય સ્વભાવનો અભ્યાસ કરવો પડે છે, તો પછી મોટી ઉમ્મરના જે આવે તેને માટે તે પાપમય વ્યાપારોના Page 71 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy