________________
છે ? એ ન થાય તો કુટુંબના જેટલા સભ્યો છે એ સૌને એટલે મારા નિકટવર્તી જીવોને આ સુખની અનુભૂતિ ક્યારે કરાવું એ ભાવનાય થાય છે ? બોલોને કે પહેલા આપણા પોતાનું ઠેકાણું નથી. ચાલો સંસારમાં જે ભૌતિક સુખની સામગ્રી તમને મળે છે એ, “મારી તાકાત હોય તો તે સામગ્રી સૌને આપીને સુખી કરૂં' એ ભાવનાય ખરી ? સૌને માટે વિચારણા ન થતી હોય તો કુંટુંબમાં જેટલા ભાઇઓ હોય-વ્હેનો હોય એ નિકટવર્તી કુટુંબને પણ આ સુખ સૌને આપીને સુખી કરૂં એય ભાવના ખરી ? જ્યાં આ ભાવના ન હોય ત્યાં દેવ-ગુરૂ-ધર્મની ભક્તિ કરતાં સાચા સુખની આંશિક અનુભૂતિ થાય એ સંભવિત છે ? તો આપણે એ સુખની અનુભૂતિ કરવી નથી ? આ સાચા સુખની અનુભૂતિ કરવા માટેજ આરાધના કરવાની છે આ રીતે કુટુંબને સાચા સુખની અનુભૂતિ કરાવવાની ભાવના એ ગણધર નામકર્મ બંધાવવામાં સહાયભૂત થાય છે. અપુનર્ધધક દશાના પરિણામમાં આંશિક અનુભૂતિથી જીવને આવા ઉંચા પરિણામો-વિશુધ્ધિ પેદા થઇ શકતી હોય તો સમકતી જીવોની દશા અને એની વિશુધ્ધિની અનુભૂતિ કેવી હોય એ વિચારો ? આ કરૂણા ભાવનાનું ચોથું લક્ષણ કહેવાયા
માયશ ભાવના
કોઇપણ જીવની ભૂલ દેખાય તો પણ તે જીવને કહેવું નહિ એટલેકે જે વખતે કાર્ય કરતા હોય તે વખતે ભલ જણાય અને એ ભલથી નુક્શાન થતું દેખાય તો પણ તે ભૂલને કહેવી નહિ. અજ્ઞાન જીવ છે માટે ભૂલ થાય પણ તેની યોગ્યતા નથી માટે નથી કહેવી એમ વિચારી ગૌણ કરે-ઉપેક્ષા સેવે તે માધ્યસ્થ ભાવ કહેવાય છે. એવી રીતે જે ટાઇમે ભૂલ થતી હોય તે વખતે તો કહેવાય નહિ જ્યારે કોઇ ન હોય ત્યારે અને યોગ્યતા દેખાય તો જ એકાંતમાં લઇ જઇને શાંતિથી કહેવાય કે જો આમ કર્યું એની બદલીમાં આમ કર્યું હોય તો વધારે સારું લાગે. આ કર્યું તે બરાબર થયું નથી. હવેથી કાળજી રાખશો એમ કહેવાય. આમ છતાં એકવાર-બે વાર-અનેકવાર કહેવા છતાં ન સુધરે તો પણ એ જીવ પ્રત્યે દ્વેષ ભાવ કરવો નહિ. ગુસ્સો કરવો નહિ. અજ્ઞાન જીવ છે ભારે કર્મના ઉદયવાળો જીવ છે માટે સુધરવાનું મન થતું નથી માટે સુધરતો નથી. એમ વિચારી માધ્યસ્થ ભાવ રાખીને ઉપેક્ષા ભાવ કરવો એ માધ્યસ્થ ભાવના કહેવાય છે. આનાપણ ચાર પ્રકારો કહેલા છે.
અધર્મી પ્રાણી પ્રત્યે રાગ દ્વેષ બન્નેનો ત્યાગ કરવો અર્થાત્ અધર્મી આત્માઓનો ત્યાગ કરવો તે ઉપેક્ષા કહેવાય છે. (૧) કરૂણાજન્ય ઉપેક્ષા :
કોઇ અપથ્ય ખાનાર રોગી ઉપર કરૂણા આવવાથી તેને અપથ્ય સેવતાં અટકાવી શકાશે નહિ એમ ધારીને અથવા તેમ કરવાનો પોતાનો અધિકાર નથી એવા ખ્યાલમાં તેને અપગ્ય સેવવાનાં કાર્યથી નિવારણ કરવામાં ઉપેક્ષા કરે છે. પોતાના કુટુંબને વિષે કે સ્નેહી સંબંધી વિષે પોતાનો જેના પ્રત્યે અધિકાર ન હોય અને તે રોગી બન્યો હોય તો તેની ખબર કાઢવા વ્યવહારથી જાય તેમાં ખબર પડે કે આને તો જે રોગ થયેલ છે તે રોગમાં આ પથ્થકારી ન કહેવાય. અપથ્ય રૂપે છે, પણ કહેવાનો અધિકાર નથી. અથવા અયોગ્ય જાણીને કહેવાનું માંડીવાળી ઉપેક્ષા કરો ઘરે આવે તે આ. પહેલું લક્ષણ કહેવાય છે. આનો અર્થ એ થાય છે કે કોઇપણ જીવનું કાર્ય જોઇને અંતરમાં દયા ભાવ
Page 27 of 197