SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ કરી વાત વધાવી લીધી. વિચારો ! બાર વરસે એને ત્યાં જ્વાનું મળ્યું. જે કામ માટે આવ્યો છે તે કામ આજે પૂર્ણ થશે એનો એના અંતરમાં આનંદ કેટલો હશે ? છતાંય બહાર મોઢા ઉપર કે સાથેના સાધુઓને ખબર પડવા દે છે ખરા ? કેવો ગુણ કેળવ્યો હશે ? સાંજ થઇ. ગુરૂ સાથે તૈયાર થઇ રાજાને ત્યાં જાય છે. પૌષધશાળામાં ઉતર્યા છે. પ્રતિક્રમણ પૂર્ણ કરી સંથારો કરી વિનયરત્ન સુઇ જાય છે. અને રાજા તથા આચાર્ય ભગવંત ધર્મની ચર્ચા કરે છે. જ્યારે બન્ને સંથારા પોરસી ભણાવી સુઇ ગયા અને ગાઢ નિદ્રામાં છે એમ જોયું એટલે ઉઠીને ઓઘામાંથી છરી કાઢી રાજાના ગળા ઉપર ફેરવીને રાજાને ખતમ કરી ત્યાંથી નીકળી રવાના થાય છે. રાજાના શરીરમાંથી નીકળતું લોહી આચાર્ય મહારાના સંથારા પાસે આવે છે. હાથ ભીનો થયેલ જાણીને ઉઠી જોયું તો. વિનયરત્ન નથી રાજાના ગળામાં છરી જાણી શાસનની અપભાના ન થાય માટે તે છરી કાઢી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી તેજ છરી પોતાના ગળા ઉપર ફેરવી દીધી. એજ રીતે અભયકુમારને ઠગવા આવનારી વેશ્યા શ્રાવક્ષણામાં શ્રાવક્તા આચારોનું સારામાં સારી રીતે જ્ઞાન મેળવીને નિરતિચારપણે શ્રાવક્તા આચારોનું પાલન કરતી રાગૃહી નગરીમાં અભયકુમારને પકડવા માટે આવેલી છે. એને નિયમ છે કે જે દિવસે નવા મંદિરના દર્શન કરુંતે દિવસે ચોવીહારો ઉપવાસ કરવો એ વિચારથી શ્રેણિક મહારાજાના ઘર મંદિરે દર્શન કરવા જાય છે. અભયકુમાર દર્શન કરવા માટે જાય છે ત્યાં ભગવાનની સ્તુતિના સુંદર શબ્દો સંભળાતા બહાર ઉભા રહ્યા. તે વેશ્યા પાતાની પરિચારીકાઓ સાથે દર્શન કરી ચૈત્યવંદન કરી બહાર નીકળ્યા એટલે અભયકુમારે કહ્યું કે પરદેશી લાગો છો ? આજે સાધર્મિક તરીકે મારૂં જ્મવાનું આમંત્રણ છે મને લાભ આપો ! ત્યારે વેશ્યાએ કહ્યું કે આજે અમારે ચોવીહાર ઉપવાસ છે જે દિવસે નવા મંદિરે દર્શન કરીએ છીએ તે દિવસે અમે ચોવીહાર ઉપવાસ કરીએ છીએ. તે સાંભળી અભયકુમારને આનંદ થાય છે અને ધન્ય છે એમ કહે છે પછી કાલે પારણાનો મને લાભ આપો એમ ણાવે છે. ત્યારે કહ્યું કે જે અમારૂં આમંત્રણ સ્વીકારે તેનું અમે આમંત્રણ સ્વીકારીએ છીએ. અભયકુમારે હા કહી પછી આમંત્રણ સ્વીકાર્યું. વિચારો ગુણો કેવા ઉંચી કોટિના છે પણ માત્ર એક સુખની લાલસાથી આ ગુણો ગુણાભાસ રૂપે કામ કરી રહ્યા છે. અભયકુમારે બીજા દિવસે માણસોને તેડવા મોલ્યા-આવ્યા. મવા બેસતાં પૂંજી પ્રમાર્જીને બેસે છે. ત્યાગ પણ એટલો બધો કે કોઇ ચીજ ખપે એમ નથી. સુકુ પાકુ ખવડાવી પારણું કરાવ્યું (ક્યું). અભયકુમારને આશ્ચર્ય થાય છે. આમના જેવું શ્રાવકપણું તો હું પણ પાળી શકું એમ નથી. ધન્ય છે એમ થાય છે. ચાર બુધ્ધિનો નિધાન ભગવાનના શાસનની આરાધનામાં બુધ્ધિનો ઉપયોગ કરતો નથી. ભગવાને જે કહ્યું તેજ સાચું આવી બુધ્ધિ છે. માટે અનુમોદના થાય છે. બીજા દિવસે અભયકુમારને આમંત્રણ આપ્યું. અભયકુમાર ગયા છે મતાં ચન્દ્રહાસ દારૂ પાઇ દીધો. ધેન ચડ્યું. બાંધીને લઇ ગઇ. વિચારો સંસારમાં પણ અનુકૂળ સામગ્રી લેવા-મેળવવા માટે પણ આ રીતે ધર્મનો ઉપયોગ કરે એ ધર્મથી શું ફળ મલે ? વિચારજો. આ ઉપરથી આ જીવો તો સંસારમાં અનંતીવાર મનુષ્ય જન્મ મેળવીને ધર્મ પ્રવૃત્તિ કરવાનાજ છે અને સંસારની રખડપટ્ટી કરે જ રાખવાના છે. આપણે શું કરવું એ આના ઉપરથી વિચારણા કરવી પડશે ને ? આ અભવ્ય જીવો ગાઢ મિથ્યાત્વના ઉદયકાળમાં ધન્યથી શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ પામે તો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો પામી શકે છે અને ઉત્કૃષ્ટથી શ્રુત જ્ઞાનનો ક્ષયોપશમભાવ પામે તો સાડા નવપૂર્વ સુધીના જ્ઞાનને પામી શકે પણ તે જ્ઞાન પોતાના આત્માને માટે અજ્ઞાન રૂપે પરિણામ પામે છે. (૩) દુર્ભવ્ય જીવો : Page 6 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy