________________
અને કોણ આત્મા ? બધ્ધિ કરતા વળી આત્મા કોઇ સ્વતંત્ર હસ્તી છે ? અને આત્મા કરતાં બુદ્ધિની હસ્તી સ્વતંત્ર છે? ના રે ના, હવે શબ્દો રહ્યા, પણ એ શબ્દો પોતાના અર્થો ખોઇ બેઠા. વાપરો, હજી પણ એ શબ્દો જૂની ટેવને કારણે વાપરતા રહો. પણ હવે શબ્દ અને અર્થ અને ભાવના અને... આવું કંઇ અલગ અલગ નથી રહ્યું. તેથી હવે બુદ્ધિ જે આત્મા બની ગઇ. કે આત્મા જ બુદ્ધિતમ બની ગયો. પરિણામે એવી બુદ્ધિને આત્મબુદ્ધિ-આત્મબુદ્ધિ, આત્મસ્વરૂપ બુદ્ધિ, આત્મા નામથી ઓળખાવી શકાય તેવી બુદ્ધિ.. આવી સ્થિતિ સરજાઇ. - હવે આગળ ? કયાં આગળ ? હવે ક્યાં જ્વાનું રહ્યું ? અંતિમ તીર્થ તો આવી ગયું. હવે કયાં ભટકવાનું રહ્યું? સિદ્ધ થયેલો, આત્મસ્વરૂપ થયેલો, આત્માને બરાબર ઓળખી ચૂકેલો યાત્રી સાધક હવે વિચારે છે કે આ સત્ય છે કે સ્વપ્ર ? મને એવું ઝાંખું ઝાંખુ યાદ આવે છે કે કયારેક હું કોઇ ઊંડા કળણમાં ઊંડી આધાર ખીણમાં કોઇની પણ સહાયતા વગર ડૂબી રહ્યો હતો અને આ પળે તો હું તેમાંનું કશું નથી જોવા પામતો. તો શું એ ભ્રમ હતો ? માયાજાળ હતી ? સ્પમ હતું ? એ હતું કે ન હતું ? કે પછી કયાંક આ જોઇ રહયો છું તે સ્વપ્ર નથી ને ?
પણ ના, આ તો સ્વપ્ર નથી જ. તેથી પેલું સ્મરણ કદાચ સ્વપ્ર હોય તેમ બને. અહીં આ પળે તો હું મને પૂર્ણ સ્વતંત્ર, પૂર્ણશક્તિ સંપન્ન, કોઇપણ દિશામાં જવાની લોલુપતા વગરનો તમામ અભાવોથી મુક્ત પૂર્ણતાની-દિવ્યતાની ઊંચામાં ઊંચી કોટિની સ્થિતિની અનુભૂતિ કરતો જોઇ રહયો છું. તેથી જેની મને આછી સ્મૃતિ લાગે છે કે તે મોટે ભાગે તો સ્વપ્ન કે તરંગ જ હશે, કેમ કે વાસ્તવમાં તો અહીં એમાંનું કંઇ જોવા મળતું નથી.
સાધની આ અઢાર પગથિયાની યાત્રા વાસ્તવમાં તો મનોમય, સંકલ્પમય જ રહે છે. પણ એ સંકલ્પ એટલો પ્રબળ હોય છે કે તેને તે સતત વાસ્તવિક, નક્કર સત્ય જેવું લાગે છે. તે ક્યાંય ગયો નહોતો, કશું બન્યો નહોતો, તેણે કશું ખોયું ન હતું, તે ક્યાંય ભટકતો ન હતો, પણ આવું આવું થયું એમ તેના મનમાં તેને લાગ્યું અને હજી આ પળે પણ મેં આવું કંઇક જોયેલું એવી ઝાંખી સ્મૃતિ તેને રહે છે. પણ એ ઝાંખી સ્મૃતિ પાંચ ક્ષણમાં ઊડી જશે અને તે પોકારી ઊઠશે, ચિદાનંદરૂપ શિવોહં, શિવોહં... હું ચિત્ (શક્તિ અને જ્ઞાન) સ્વરૂપ છું, હું આનંદસ્વરૂપ છું, હું શિવ (કલ્યાણ, મંગલ) સ્વરૂપ છું. | ગીતા કાયક્રમ ગોઠવીને આરામથી રચાયેલો ગ્રંથન નથી. તે તો મોટી કટોકટીની પળે જરૂર પડતાં રચાઇ ગયેલો ગ્રંથ છે. પણ તેનાવકતા એટલા મોટા ગજાના હતા કે તેઓ જે બોલ્યા તે વ્યવસ્થિત, સુવ્યવસ્થિત શાસ્ત્ર જ બની ગયું. શાસ્ત્રી રચે તે શાસ્ત્ર ન કહેવાય, પણ શાસ્ત્ર રચે તે શાસ્ત્રી કહેવાય. ગીતાગાયક કૃષ્ણ જે બોલે તે શાસ્ત્ર, આચરે તે ધર્મ, સ્વીકારે તે પુણ્ય, ન સ્વીકારે તે પાપ. અપનાવે તે કૃષ્ણ (અર્જુનનું એક નામ કૃષ્ણ છે) અને તરછોડે તે ? બાપ રે. એની કલ્પના પણ કોણ કરી શકે? એની કેવી ગતિ થશે તે જાણે અનુભવ્યા વગર કોણ કહી શકે ? પણ એ કોઇને તરછોડે નહિ. તેથી કોઇને માટે એવી કલ્પના કરવાની જરૂર નથી. તે તરછોડતા લાગે તો તેને માત્ર તેની લીલા જ સમજવી. કૃષ્ણ કોઇને પણ તરછોડવાની તાકાત ગુમાવી દીધી છે. કેમ કે તે ગોકુળમાં એકધારું માખણ ખાઇ ખાઇને માખણ કરતાંય વધુ મૃદુ બની ગયા છે. તેથી કૃષ્ણ કોઇને તરછોડતા નથી. તરછોડી શકતા નથી.
હા, જીવ થોડોક સમય અંધારામાં ને ખાડાટેકરામાં અથડાય ખરો, પણ તેનું અમંગળ ન થઇ શકે. કૃષ્ણ પોતાના ભકત માટે કહ્યું છે ન મે ભકત: પણ શ્મન -મારો ભકત કદી વિનાશનો શિકાર બનતો નથી. આપણે ભકત ના વર્ગમાં ન આવતા હોઇએ, તેથી આપણને ડર રહે કે રખે આપણી આવી દશા
Page 204 of 234