________________
વિદ્યમાન છે : એટલું જ નહિ પણ જે કોઇ આત્મા પોતાની અશકિત યા અયોગ્યતાના કારણે તેને પ્રાપ્ત નથી કરી શકતા, તેમાંનો મોટો વર્ગ તેની નિન્દા કરવાનો જમાર્ગ અખત્યાર કરે છે. પરન્તુ તેટલા માત્રથી વૈરાગ્ય એ સદગુણ મટી જતો નથી. તેની અનેક નક્લો તથા તેના પ્રત્યે અનેક કટાક્ષો જ એ વસ્તુ પૂરવાર કરે છે કે-અસલ વૈરાગ્ય એ કોઇ મહા મૂલ્યવાળી ચીજ છે અને તેની પ્રાપ્તિ કોઇ ભાગ્યવાન્ આત્માને જ થઇ શકે છે.
નકલી વસ્તુને અસલ વસ્તુના મૂલ્યથી ખપાવવાનો પ્રયાસ કરવા માટે જેમ અનેક પ્રકારની માયાઓનું અવલંબન લેવું પડે છે, તેમ નક્કી વૈરાગ્યને પણ અસલ વૈરાગ્યના મૂલે પ્રસિદ્ધ કરવા માટે મૂખ્ય આલંબન દંભનું જ ગ્રહણ કરવું પડે છે. એટલા માટે દંભને અસલ વૈરાગ્યના મૂલમાં અગ્નિ મૂક્નાર તરીકે વૈરાગ્યના જ્ઞાતા મહાપુરૂષોએ વર્ણવેલ છે. દંભને ધારણ કરનાર આત્મા જગતમાં પોતાની વૈરાગ્યવાન તરીકે પ્રસિદ્ધિ કરી શકે છે, તો પણ પોતે તો અનન્તકાળ સુધી વૈરાગ્ય રૂપી સદગુણથી સર્વથા વંચિત જ રહી જાય છે. એટલા માટે શ્રી જિનશાસનમાં મુકિતમાર્ગના આરાધકો માટે સૌથી પ્રથમ શરત જીવનમાંથી દંભને દેશવટો આપવાની મૂકવામાં આવી છે. જીવનમાંથી દંભને સર્વથા દૂર કર્યા સિવાય મુકિત માટેના એક પણ સદનુષ્ઠાનની સાચી આરાધના થઇ શકતી નથી.
સમર્થ પંડિત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા અધ્યાત્મસાર નામના પ્રકરણરત્નમાં અધ્યાત્મનું સ્વરૂપ, તેની પ્રાપ્તિ અને વૃદ્ધિ કોને થઇ શકે, એ વિષે વિવેચન કરતાં ફરમાવે છે કે
"अतो ज्ञानक्रियारुपमध्यात्म व्यवतिष्ठते ।
एततत्प्रवर्धमानं स्या, निर्दम्भाचारशालिनाम् ।।१।।" અધ્યાત્મ એ જ્ઞાનક્રિયા ઉભયાત્મક છે અને તેની વૃદ્ધિ નિષ્કપટ આચારવાળા મહાપુરૂષોને જ થઇ શકે છે.”
દંભ એ વૈરાગ્યના માર્ગમાં મોટામાં મોટું વિદન છે. આપણે એ જોઇ ગયા કે-ગતુમાં જે વસ્તુનું મૂલ્ય અધિક ઉપજી શકતું હોય, તે વસ્તુના ભાવે ઓછા મૂલ્યવાળી વસ્તુ વેચવાના ધંધા પણ ધમધોકાર ચાલે છે : અને ચાલે એ સહજ છે. એ કોઇથી પણ અટકાવી શકાય તેમ નથી. એવાઓને ઓળખી કાઢી તેઓની જાળમાં ન ફસાવું, એટલું જ માત્રશકય છે, અથવા એવાઓને “દંભ કરી મહાન્ સગુણને પાપનું સાધન બનાવતા અટકાવવા પ્રયાસ કરવો’ એ પણ શક્ય અને કર્તવ્ય છે. પરન્તુ એટલા માત્રથી વૈરાગ્યની નકલો સર્વથા નાબૂદ થઇ જાય એ કદી પણ શકય નથી.
વૈરાગ્ય એ અમૂલ્ય ચીજ છે અને તેની નક્કો આ જગતમાં રહેવાની જ છે, તો પછી અસલ વૈરાગ્યના અર્થીિ આત્માઓએ અસલ અને નકલ વૈરાગ્યને ઓળખતાં શીખવું એજ આવશ્યક થઇ પડે છે : અને એ ઓળખવા માટે વધુ પ્રયાસ કરવાની આવશ્યકતા નથી. “જે વૈરાગ્યની પાછળ કોઇ પણ પ્રકારનો દંભ નથી એ વૈરાગ્ય અસલ છે અને જે વૈરાગ્યની પાછળ થોડો પણ દંભ છે તે વૈરાગ્ય અસલ નથી ન્તિ નક્ત છે.” -એટલું જ સમજવું પર્યાપ્ત છે. બીજા આત્માઓના હૃદયમાં રહેલ વૈરાગ્ય એ અસલ છે કે નક્લ તે ઓળખવું હજુ પણ દુષ્કર છે, પરન્ત પોતાના આત્મામાં રહેલ વૈરાગ્ય કેવો છે એની પરીક્ષા કરવા માટે ઉપરની કસોટી બસ છે.
પોતે જે કંઇ મુકિત માટેનું સદનુષ્ઠાન કરે છે તેની પાછળ કોઇ પણ પ્રકારની માયા છૂપાયેલી છે કે કેમ, એની શોધ કરવાથી તુરત જ વૈરાગ્યની સત્યતા યા અસત્યતાની ખાત્રી થઇ શકે છે. સત્ય વૈરાગ્યમાં દંભનું નામનિશાન હોઇ શકતું નથી. દંભરહિત દશા એ વૈરાગ્ય માટેની મોટામાં મોટી
Page 172 of 234