________________
અનિષ્ટ વૃત્તિથી જોવાને પ્રેરાનારો ન હોય. કોઇના દોષ એ ન જજૂએ એમ નહિ, પણ દોષ જોવામાં એની દુર્બુદ્ધિ ન હોય. પારકાનાં દોષને જોવાની વૃત્તિવાળો ન હોય, તેમ છતાં પારકા દોષ દેખાઇ જાય, તો એ દોષોને એ પચાવનારો હોય; પણ કોઇનુય અનિષ્ટ થાય એની દરકાર રાખ્યા વિના, હીન વૃત્તિવાળો બની, એના ધજાગરા ચઢાવનારો ન હોય. પોતાના દોષ જોવા, જાણવા તથા સુધારવાની આતુરતા અને પારકા દોષ જોવાની વૃત્તિ નહિ તેમજ જોવાઇ જાય તો પચાવવાની વૃત્તિ, એ પણ નાનોસૂનો ગુણ નથી. એ એ ગુણ આજે લગભગ વિસારે પડતો જાય છે. કાંઇક અંશે એ વસ્તુ કુટુંબમાં રહી છે, પણ ત્યાંય જો ઉંડા ઉતરીને ‘તપાસાય તો નાસીપાસી મળે તેમ છે. સ્વાર્થ ઉપર ઘા પડે તો ત્યાંય ગંભીરતા પ્રાય: રહેતી નથી. ત્યારે જ્યાં મારાપણું મનાયું છે ત્યાં એની ઝાંખી મળે તેમ છે ! બાકી તો આજે પારકો દોષ ઝટ દેખાય છે એમ નહિ પણ ઝટ જોવાય છે અને પોતાનો દોષ પ્રાય: દેખાતો નથી. જ્યાં આંધળો રાગ થઇ જાય છે, ત્યાં કેટલીક વાર દોષ પણ ગુણ રૂપ લાગે છે અને અન્યના દોષને પચાવવાની તાકાત આજે નષ્ટપ્રાય: થઇ ગઇ છે. પૂર્વકાળમાં તો ધર્મને નહિ પામેલા પણ સુયોગ્ય આત્માઓમાં એ ગુણ સ્વાભાવિક મનાતો. પારકા દોષ જોવા, પારકા દોષ ચોરે અને ચૌટે હેવા તેમજ પારકી નિન્દા કર્યા કરવી, એ આજે લગભગ સ્વાભાવિક જેવું મનાય છે, જ્યારે પૂર્વકાળમાં એ દુર્ગુણ બહુ ભયંકર મનાતો પેલા વણિપુત્રના દ્રષ્ટાન્તમાં આપણે એ વસ્તુ જોઇ. એણે બાઇના દોષને ખમી ખાધો, ગંભીરતા રાખી કોઇને ન કહ્યો, એ શાથી ? એનામાં એ ગુણ હતો માટે ! એણે કાંઇ રાગથી ગંભીરતા નહોતી રાખી. ગુણના યોગે જ એને વિચાર થયો કે-નાહક કોક્નો જાન જોખમમાં મૂકાય કે શુંય બને, માટે બન્યું તે ખરૂં પણ હવે કોઇને ક્લેવું નહિ. બાઇ પર તેવો રાગ થઇ ગયો હોત તો વાત જૂદી હતી, પણ બાઇ પર તેવો રાગ નથી : કારણ કે-પ્રથમ પરિચય હતો. પહેલી જ વાર તેડવાને આવેલ છે. તેમાં બાઇ જ્વાને નાખૂશ હોવાથી એને કુવામાં ફેંકી દે છે. આવા પ્રસંગે ક્રોધ અને દ્વેષના માર્યા, ઉલ્ટો હોય તે કરતાં પણ વધારે દોષ આજે ગવાય કે નહિ ? આજે એવું બને તો ગંભીરતા રહે ? ગુણના યોગે ગંભીરતા જળવાય તો એ પ્રશંસાપાત્ર છે. આંધળા રાગને આધીન થઇ જઇને, પોતાના માનેલા બીજાના દોષો છૂપાવાય એ ગુણ નથી. ગુણ તો એ કહેવાય કે-કેવળ સ્વપરની હિતબુદ્ધિથી પારકા દોષોને પચાવાય !
ઉત્તમ કુળોમાં અમુક ગુણો કુદરતી આવે છે ઃ
આવા સ્વાભાવિક ગુણો પણ આજે લગભગ નષ્ટપ્રાય: થઇ ગયા છે : એનું મૂખ્ય કારણ એ પણ છે કે-આજનાં કુળો મોટે ભાગે વસ્તુત: સુકુળો રહ્યાં નથી. સુકુળ, એ પણ અમુક ગુણોને પમાડનારૂં અને ટકાવનારૂં પ્રબળ સાધન છે.
શાસ્ત્રકારોએ કહ્યું કે-આર્યદેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળની પ્રાપ્તિ પણ મહાપુણ્યના યોગે થાય છે. આર્યદેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળ, એ સામગ્રી પણ આત્મામાં અમૂક જાતિની યોગ્યતા સ્હેજે ઉત્પન્ન કરી દે છે. ધર્મ પામ્યા પછીથી આવતા ગુણો એ જૂદા, પણ તે સિવાયના ગુણ, આર્યદેશ, ઉત્તમ જાતિ તથા ઉત્તમ કુળને પામેલામાં સામાન્યત: કુદરતી આવે છે. રાજકુળોમાં વિનયગુણ કુદરતી મનાય છે. ઉત્તમ કુળોની અંદર ભાષામાં પણ નમ્રતા હોય છે. ભાષા ઉપરથી પણ કુલીનતાનું માપ નીકળે. અમૂક કુળમાં અમૂક ગુણ લાવવા નથી પડતા, તે સ્વાભાવિક આવે છે : નહિતર કુળ ઉત્તમ શાનાં ? જેમ દેશની ભાષા બચ્ચું વગર ભણ્યો પણ બોલતાં શીખે છે, તેમ ઉત્તમ કુળોમાં અમૂક ગુણો કુદરતી આવે છે. જૈન જેવા ઉત્તમ કુળને પામવા સાથે તમને જે ગુણો વારસામાં સ્વાભાવિક રીતિએ મળવા જોઇતા હતા, તે મળ્યા હોય એવું ઓછું છે ને ? અને તમારા તરફથી તમારા સંતાનોને મળે તેવું શું છે ? મોડા ઉઠવું,
Page 158 of 234