SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિ બતાવી છે તે હેતુથી તીર્થંકર પરમાત્માની સ્તુતિ “નમુથુણંથી કરે છે અને આ રીતે સ્તવના કરીને પોતે સામાયિકમાં રહેલો છે માટે એ સુત્ર બોલીને ફ્રીથી યાદ કરી જાય છે. કરેમિભત્તે બોલ્યા પછી જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર એ પાંચ આચારમાં રાત્રીને વિષે જે રીતે પાલન કરવાનું કહ્યું છે તે રીતે પાલન ન થયું હોય અને એનાથી વિપરીત પાલન થયેલું હોય તેના પાપથી પાછા. ક્રવા માટે “ઇરછામિ ઠામી” સૂત્ર બોલે છે અને પંચાચારના પાપથી પાછા વા માટે ૫૦ શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કહેલો છે તેની શરૂઆત કરવા “તસ્સઉત્તરી” “અન્નધ્ય” બોલીને ૨૫ શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કરે છે. એટલે કે ૧ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. ત્યાર પછી બીજીવાર ૧ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. ત્યાર પછી ઉલ્લાસપૂર્વક ત્રીજી વાર પંચાચારને વિષે અજાણતાં કોઇ પાપ રહી ગયેલું હોય તો એનાથી પાછા વા માટે પંચાચારની ગાથાઓનો કાઉસગ્ગ કરે છે પછી વિર્ષોલ્લાસપૂર્વક એ પાપનો નાશ થતા. સિધ્ધાણં બુધ્ધાણ” સૂત્ર બોલીને ત્રીજા આવશ્યકની મુહપત્તિનું પડિલેહણ કરે છે. - ત્રીજા આવશ્યકની મુહપત્તિનું પડિલેહણ કર્યા પછી ગુરૂભગવંતોને વાંદણાથી વંદન કરે છે. વદન કરીને હું શું કરવા ઉપસ્થિત થયો છું અને કયા પાપથી હું પાછો અને હવે મારે કયા પાપની આલોચના કરવાની છે. તેને યાદ કરવા માટે “ઇચ્છામિઠામી સૂત્ર” ફ્રીથી બોલે છે. બારવ્રતને વિષે તેમજ સમ્યકત્વને વિષે તથા અપ્રશસ્ત ઇન્દ્રિયો અપ્રશસ્ત કષાયો અને અપ્રશસ્ત મન, વચન, કાયાના યોગના વ્યાપારથી. રાત્રિને વિષે જાણતા અજાણતા જે કોઇ પાપ થઇ ગયા હોય તે પાપથી પાછા વા માટે તેમજ વિસ્તારથી એ પાપોને યાદ કરીને તેની નિંદા ગંહ કરવા માટે તેમજ એવા પાપ વિશિષ્ટ આત્માનો ત્યાગ કરવા ચોથા પ્રતિક્રમણ આવશ્યકની ક્રિયાની શરૂઆત કરે છે. એની પહેલા જગતને વિષે રહેલા ૮૪ લાખ જીવા યોનિમાંથી એટલે કે ૪૨૦૦ પ્રકારના જીવોને વિષે એને ઉત્પન્ન થવાના સ્થાનોનો નાશ કર્યો હોય એ જીવોને દુ:ખ આપ્યું હોય. એ જીવો પ્રત્યે અંતરથી દ્વેષ બુદ્ધિ પેદા કરી હોય એમ અનેક રીતે મનમાં વિચારોથી, વચનથી, બોલવાથી, કાયાના હલચલનથી, રાત્રીને વિષે જે કોઈ જીવને મારાથી નાશ કરાયો હોય, કોઇની પાસે નાશ કરાવ્યો હોય તેમજ જે કોઇ જીવે એ જીવોને નાશ કરવાની પ્રવૃત્તિ કરી હોય એની. અનુમોદના કરી હોય એ જીવોની હિંસાથી પાછા વા માટે અને અંતરમાં એ જીવો પ્રત્યે મૈત્રીભાવ પેદા કરવા માટે એ જીવોને ખમાવે છે. તેમજ રાત્રીને વિષે ૧૮ પાપસ્થાનકમાંથી જે કોઇ પાપનું સેવન પોતાને માટે પોતાના ગણાતા કુટુંબ માટે મન, વચન, કાયાથી જે કોઇ પાપ થઇ ગયું હોય તે પાપથી પાછા વા માટે મિચ્છામિ દુક્કડમ્ દે છે. આ રીતે પોતાના આત્માને, સર્વ જીવોને ખમાવવા દ્વારા મેત્રીભાવથો વાસિત કરે છે તથા થયેલા પાપોથી પોતાના આત્માને પાપોથી પાછો વીને ઉલ્લાસપૂર્વક સમ્યકત્વ આદિને વિષે પાપોથી પાછા વા માટે વંદિત્તાસૂત્રની શરૂઆત કરે છે. વિશિષ્ટ રીતે પાપથી પાછા વાના હેતુથી સૌથી પહેલા મંગલરૂપે પંચ પરમેષ્ઠિને યાદ કરવા નવકારમંત્ર બોલે છે. પાછો ફ્રીથી હું સામાયિકમાં છું તે સૂત્રને યાદ કરી જાય છે. ૬ આવશ્યક ક્રિયાનો સમુદાય ભેગો થાય ત્યારે જ આખા દિવસના જે સામુદાયિક પાપ થયા હોય તે નાશ પામે. જુદા જુદા આવશ્યકથી જુદા જુદા પાપ નાશ પામે છે. જે પાપથી પોતાનો સ્વાર્થ ન સધાય. કોઇ જોઇ જાયતો બાલ બોલ કરે કે મારાથી પાપ થઇ ગયું ના જવે તો પાપને ચલાવી લે. અને તે પોતાના પાપને પાપ માનતો નથી. સજ્જતા મળે તો પાપ ન માને. Page 63 of 67
SR No.009172
Book TitleCha Avashyakna Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy