SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ એવા અશુભ મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિની નિંદા કરવી-ગહ કરવી અને એવા અશુભ યોગની પ્રવૃત્તિથી આત્માને પાછો ખસેડી એનો મિચ્છામિ દુક્કડં દેવો એને અશુભ યોગનું પ્રતિક્રમણ કહેવાય છે. માટે એવા અશુભ યોગને શુભ યોગની પ્રવૃત્તિમાં જોડવા પ્રયત્ન કરવો જોઇએ. સંસારમાં રહેલા જીવો મન-વચન-કાયાથી શરીર, ધન અને કુટુંબની સુખાકારી માટે અને જે કાંઇ પ્રતિકૂળતાઓ આવે એને દૂર કરવા માટે આનંદપૂર્વક પ્રવૃત્તિ કરે, કર્તવ્ય માનીને કરે, જ માનીને કરે અને એ પ્રવૃત્તિ કરતા જેટલી સળતા મલે તેમાં આનંદ માને અને મળેલા સુખનો આનંદપૂર્વક અનુભવો કરતો જાય એને અશુભ યોગની પ્રવૃત્તિ કહેલી છે. શ્રાવક, સંસારની જે કાંઇ પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિ કરવા જેવી નથી મારે કરવી પડે છે માટે કરું છું ક્યારે તાકાત આવે અને આ પ્રવૃત્તિ કરવાની છૂટી જાય આવી વિચારણા અંતરમાં રાખીને એ પ્રવૃત્તિઓ. કરતો હોય તો તે અશુભ પ્રવૃત્તિ હોવા છતાં એ રીતે કરવાથી એવા શ્રાવકો માટે એ પ્રવૃત્તિ સંવરની ક્રિયા રૂપે બનતી જાય છે માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે બાઇઓ, ચૂલો, સગડી, ગેસ સળગાવતા વિચાર કરે કે ભગવાને કહ્યા મુજબનુ સાધુપણું ન લીધું માટે મારે આ પાપ કરવું પડે છે ક્યારે એવો દિવસ આવે કે આ પાપથી છૂટીને સાધુપણું લઉં તો તે વખતે આયુષ્યનો બંધ પડે તો નિયમા વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે આ વિચાર પૂર્વકની સાવધ ક્રિયા સંવર રૂપે થઇ શકે છે અર્થાત્ થાય છે. મન, વચન, કાયાના યોગનો અશુભ વ્યાપાર એટલે કે પાપવાળી પ્રવૃત્તિ. મન, વચન, કાયાના યોગથી પાપની પ્રવૃત્તિ કરવી અને શક્તિ મુજબની પાપપ્રવૃત્તિ કરવાના ટાઇમે ન કરવી. લક્ષ્ય વગર કરવી એને અશુભ યોગ કહેવાય છે. આખા દિવસમાં અશુભ યોગની પ્રવૃત્તિ જીવનમાં થયેલી હોય એ પ્રવૃત્તિથી પાછા ીને શુભ યોગની પ્રવૃત્તિ આત્મકલ્યાણ કરવાના હેતુથી કરેલી ન હોય તેની નિંદા અને ગહ કરીને જે પાપથી પાછા વું તેને અશુભ યોગનું પ્રતિક્રમણ કહેવાય છે. વચલા બાવીશ તીર્થકરોના કાળમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા શ્રાવક શ્રાવિકા જેમને પાંચમા ગુણસ્થાનકનો પરિણામ પેદા થયેલો હોય છે અથવા જેમને સમકીતની પ્રાપ્તિ થયેલી હોય છે તેમજ ગુણ યુક્ત મિથ્યાત્વ ગુણસ્થાનકમાં દાખલ થઇને મિથ્યાત્વની મંદતા પેદા કરીને પોતાનું જીવન જીવતા હોય છે એ જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી ભગવાને કહ્યા મુજબ પાપને પાપ રૂપે માનીને-પાપરૂપે સ્વીકાર કરીને એ પાપની પ્રવૃત્તિથી છૂટવાની તાકાત ન હોવાથી પાપની પ્રવૃત્તિ કરવી પડે છે માટે કરૂં છું ક્યારે એવો દિવસ આવે કે આ પાપની પ્રવૃત્તિથી છૂટીને સંપૂર્ણ પાપરહિત જીવન જીવતો થાઉં આવું લક્ષ્ય અને ભાવના રાખીને સતત એની વિચારણા અંતરમાં રાખીને જે કોઇ પાપની પ્રવૃત્તિ કરવી પડે તે પ્રવૃત્તિ કરતા હોય છે તેમાં પાપની પ્રવત્તિનો બંધ પડતો નથી એટલે પાપરૂપે અશુભ પ્રકૃતિઓનો તીવ્રરસ બંધાતો નથી અને અનુબંધ રૂપે એ પ્રકૃતિઓ બંધાતી નથી. આવી વિચારણાથી સંસારનું જીવન જીવવા છતાંય પુણ્યનો અનુબંધ પેદા કરીને આત્મિક ગુણના વિકાસમાં આગળ વધવાનો પ્રયત્ન કરતા જાય છે. આ રીતે જીવન જીવતા આયુષ્યના બંધ પડે તો નિયમ સંગતિનું આયુષ્ય બંધાય છે માટે આ જીવોને પાપની પ્રવૃત્તિ કરવા છતાંય ન કરવા યોગ્ય માનીને પ્રવૃત્તિ કરવાથી અશુભ યોગ રૂપે પ્રવૃત્તિ ગણાતી નથી માટે રોજ પ્રતિક્રમણ કરવાનું એ જીવોને બનતું નથી. (હોતુ નથી.) Page 22 of 67
SR No.009172
Book TitleCha Avashyakna Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy