SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જ સુખ ન ૬:"ા પરમાત્માઓ કેવલજ્ઞાન પામ્યા પછી પોત પોતાના શાસનની સ્થાપના કરે છે એટલે કે મોક્ષમાર્ગની સ્થાપના કરે છે. તે મોક્ષમાર્ગ, અત્યારે જગતને વિષે છેલ્લા ભગવાનનો સ્થાપેલો માર્ગ ચાલે છે એ મોક્ષમાર્ગને પામવા માટે, એની આરાધના કરવા માટે અને આરાધના કરતા કરતા આરાધક ભાવ પેદા કરવા માટે, પેદા કરીને આત્માને મોક્ષમાર્ગમાં આગળ વધારતા આત્મિક ગુણોની અનુભૂતિ આંશિક પેદા કરતા કરતા. ચિત્તની પ્રસન્નતા પૂર્વક જીવનકાળ જીવાય એ લક્ષ્ય રાખીને જે આરાધના થાય એ આરાધના કરવામાં, કરાવવામાં સહાયભૂત ભગવાને જે મોક્ષમાર્ગ મુકેલો છે એ ઉપયોગી થતો હોવાથી એ રીતે આરાધના કરનારા જીવોને વિષે તીર્થંકર પરમાત્માઓ તુષ્ટ માન થયા છે અથવા પ્રસન્ન થયા છે એમ કહેવાય છે. જે લઘુકર્મી આત્માઓમાં, અનુકૂળ પદાર્થોની સામગ્રીમાં સર્વસ્વ સુખ નથી પણ સુખાભાસ છે તેમજ સુખાભાસ રૂપે રહેલું ક્ષણિક સુખ એકાંતે દુ:ખરૂપ છે, દુ:ખનું આપનારૂં છે અને દુ:ખની પરંપરા વધારનારૂં છે આવી બુદ્ધિ પેદા થાય અને આનાથી ભિન્ન કોટિનું એ દુઃખના લેશ વિનાનું કદી નાશ. ન પામે એવું અને કાયમ રહેવાવાળું છે એજ વાસ્તવિક રીતે સાચું સુખ ગણાય છે. આવી બુધ્ધિ પેદા થાય ત્યારે ચોવીશે તીર્થંકર પરમાત્માઓની એ જીવ ઉપર પ્રસન્નતા પેદા થઇ છે એમ ગણાય છે. વર્તમાનમાં નિકટના ઉપકારી ચોવીશ તીર્થકરો થયેલા છે માટે ચોવીશ ગણાય છે. બાકી તો અત્યાર સુધીમાં અનંતા તીર્થંકરો થઇ ગયા છે એ અનંતા તીર્થકરોની પ્રસન્નતા ગણી શકાય છે. આવી વિચારણા અંતરમાં જેને પેદા થાય એ આત્માઓ જ્ઞાની ભગવંતની આજ્ઞા મુજબ પાપને પાપરૂપે માનતા થાય છે અને પાપ ભીરતા ગુણ અંતરમાં સહજ રીતે પેદા થતો જાય છે. આવી ઓળખ અભવ્ય જીવોને પેદા થતી નથી-દુર્ભવ્ય જીવોને પણ પેદા થતી નથી. ભગવાનના શાસનની સામગ્રીને પામેલા હોવા છતાં એની આરાધના કરવા છતાં સાડાનવ પૂર્વનું જ્ઞાન ભણીને એકવીશ કલાક પરાવર્તન કરી સ્વાધ્યાય કરવા છતાં તથા નિરતિચાર ચારિત્રનું પાલન કરવા છતાંય પોતાના આત્મામાં રહેલા રાગાદિ પરિણામની ઓળખ કરવાની ઇચ્છા જ પેદા થતી નથી. આજ રીતે ભારેકર્મી ભવ્ય જીવો પણ આવા જ પ્રકારના હોય છે આથી નિશ્ચિત થાય છેકે લઘુકર્મી ભવ્ય આત્માઓ ભગવાનના શાસનની સામગ્રીને પામીને પોતાની શક્તિ મુજબ આરાધના કરતા કરતા પોતાના અનુકળ પદાર્થો પ્રત્યેના રાગાદિ પરિણામને દુ:ખના કારણ રૂપે છે એમ ઓળખવાનો પ્રયત્ન કરે છે અને ઓળખીને માન્યતા દ્રઢ કરે તો પ્રભુની કૃપા તથા પ્રસન્નતા એ જીવો પ્રત્યે પેદા થતી જાય છે. આ રીતે આત્મામાં રાગાદિ પરિણામની ઓળખ પેદા થતી જાય એટલે અભવ્ય, દુર્ભવ્ય, ભારેકર્મી ભવ્ય જીવો કરતા એ જીવ સમયે સમયે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અધિક કર્મની નિર્જરા કરતો જાય છે. એટલે કે ગ્રંથીદેશે આવેલા અભવ્યાદિ જીવો સમયે સમયે કર્મની જેટલી નિર્જરા કરે એમના કરતાં ગ્રંથીદેશે. રહેલા ભવ્ય જીવો ગ્રંથીને ઓળખીને એ પરિણામને દ્રઢ કરતા જાય તે સમયે સમયે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અધિક રૂપે કર્મ નિર્જરા કરતા જાય છે. આથી એટલે અંશે એ જીવ પરિણામની વિશુદ્ધિવાળો થયો એમ કહેવાય છે. અનુકળ સામગ્રીમાં સર્વસ્વ સુખની બુદ્ધિ તેનું નામ સંકલેશ કહેવાય છે અથવા કલેશ પણ કહેવાય છે કારણકે કહ્યું છેકે “ફ્લેશ વાસિત મન તે સંસાર કલેશ રહિત તે મન ભવ પાર.” આવી વિશુધ્ધિ જે જીવોને પેદા થયેલી હોય તે જીવાએ અનાદિ યથાપ્રવૃત્ત કરણને છોડીને શુધ્ધ યથાપ્રવૃત્તકરણ પરિણામને એટલે અધ્યવસાયને પ્રાપ્ત કર્યો એમ કહેવાય છે. આ પરિણામ એટલે પોતાના આત્માની ગ્રંથીની ઓળખની શરૂઆત થઇ એમ કહેવાય છે. આ પરિણામના પ્રતાપે અનુકૂળ પદાર્થોની Page 60 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy