________________
પંદર કર્મભૂમિમાં અસન્ની પંચેન્દ્રિય રૂપે ઉત્પન્ન થનારા અસગ્ની અપર્યાપ્ત મનુષ્યો પંદર ત્રીશ અકર્મભૂમિના ક્ષેત્રોને વિષે અસત્રી રૂપે ઉત્પન્ન થનારા અસગ્ની અપર્યાપ્તા મનુષ્યો-ત્રીશ. છપ્પન અંતરદ્વીપને વિષે અસત્રી રૂપે ઉત્પન્ન થનારા અસની અપર્યાપ્તા મનુષ્યો છપ્પન. આથી ૧૫ + ૩૦ + ૫૬ = ૧૦૧ અસન્ની મનુષ્યો થાય છે. આથી કુલ તિર્યંચના ૧૦ મનુષ્યના
૧૦૧
૧૧૧ અસન્ની જીવો થાય છે. સન્ની જીવો ચારસોને ચોવીશ હોય છે. તેના મુખ્ય ચાર ભેદો હોય છે. (૧) નારકી, (૨) પંચેન્દ્રિય તિર્યંચ, (૩) મનુષ્ય, (૪) દેવ. (૧) નારકીના ૧૪ ભેદો હોય છે. સાત નારકીના સાત અપર્યાપ્તા, સાત પર્યાપ્તા. (૨) પંચેન્દ્રિય તિર્યંચના દશ ભેદો હોય છે. ૧. સન્ની અપર્યાપ્ત જલચર. ૨. સન્ની અપર્યાપ્તા ચતુષ્પદ. ૩. સન્ની અપર્યાપ્તા ઉરપરિસર્પ. ૪. સન્ની અપર્યાપ્તા ભુજ પરિસર્પ. ૫. સન્ની અપર્યાપ્તા ખેચર જીવો. ૬. સન્ની પર્યાપ્ત જલચર. ૭. સન્ની પર્યાપ્તા ચતુષ્પદ. ૮. સન્ની પર્યાપ્તા ઉરપરિસર્પ. ૯. સન્ની પર્યાપ્તા ભુજપરિસર્પ. ૧૦. સન્ની પર્યાપ્તા ખેચર જીવો. (૩) મનુષ્યોના બસોને બે જીવ ભેદ હોય છે. પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા પંદર સન્ની અપર્યાપ્ત પંદર સન્ની પર્યાપ્તા = ૩૦ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા. ત્રીશ સન્ની અપર્યાપ્તા ટીશ સન્ની પર્યાપ્તા = ૬૦ છપ્પન અંતર દ્વીપમાં ઉત્પન્ન થનારા છપ્પન સન્ની અપર્યાપ્તા છપન્ન સન્ની પર્યાપ્તા = ૧૧૨ ૩૦ + ૬૦+ ૧૧૨ = ૨૦૨ ભેદો થાય છે. દેવોના ૧૯૮ ભેદો થાય છે. ભવનપતિના-પચ્ચીશ અપર્યાપ્તા પચ્ચીશ પર્યાપ્તા = ૫૦
Page 25 of 75