SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દોર નાકોડા તીર્થ ઇન્દોરમાં જ્યાં પરમકૃપાળુદેવના ચિત્રપટોની સ્થાપના કરેલ ત્યાં પૂજ્યશ્રીનો ઉતારો હતો. ઇન્દોરમાં શ્રી હુકમીચંદ શેઠનું કાચનું મોટું દેરાસર પ્રસિદ્ધ છે. ત્યાં દર્શન કરવા ગયા. શેઠ શ્રી હકમીચંદજી પાસે અર્ધો કલાક બેઠા અને “અપૂર્વ અવસર' નું પદ બોલ્યા. શેઠને આનંદ થયો હતો. તે સમયે પૂજ્યશ્રી બાવીસ દિવસ ઇન્દોર રોકાયા. વારા ફરતી ૩૦ મંદિરોના દર્શન કર્યા. માંડવગઢ અને બનેડિયાજી જઈ દર્શન કરી આવ્યા તેમજ ઇન્દોરથી ૭૫-૮૦ મુમુક્ષુ ભાઈ બહેનો સાથે સિદ્ધવરકૂટ પણ ગયા. ત્યાં પાંચ મંદિરોના દર્શન કર્યા. ઘણો આનંદ થયો. પ.પૂ.પ્રભુશ્રીજી પણ ઇન્દોરથી બનેડિયાજી નાકોડાજીમાં પૂ.શ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુ ભાઈઓ સાથે ગયા હતા અને સિદ્ધવરકૂટ પધાર્યા હતા. ત્યાં સિદ્ધવરકૂટમાં નાકોડાજીમાં ચાર દિવસ સ્થિરતા કરી હતી. રાતના તેઓશ્રી આઠ દિવસ રોકાયા હતા. રોજ વાંચન ચાલતું. તેમાં પૂજ્યશ્રી અલૌકિક ભાવમય વિવેચન - રાજસ્થાનની યાત્રા કરતા હતા. ત્યાંથી સિવાના આવ્યા. પૂજ્યશ્રી ઇન્દોરથી અજમેર પધાર્યા. ત્યાં દસ-બાર મંદિરો ગઢ સિવાના છે. આગમ મંદિર, સમવસરણની રચના અને ભગવાનના પંચકલ્યાણકની રચના ઉત્તમ પ્રકારે કરેલી છે. ત્યાંથી પુષ્પદરાજ, બાવર થઈ શિવગંજ પધાર્યા. ત્યાં ચાર દિવસ રહી આહાર આવવું થયું હતું. આહારમાં ચાર દિવસ રોકાઈ ઉમેદપુર થઈ રાણકપુરની પંચતીર્થીમાં મુસાળા મહાવીર, ઘાણેરાવ, નાડલાઈ, નાડોલ, વરકાણામાં દર્શન ભક્તિ કરી જોઘપુર પધાર્યા. જોઘપુરથી રાતના ૧૦ વાગે જેસલમેર જવા માટે ટ્રેનમાં બેસવાનું હતું. ત્યારે પૂજ્યશ્રીને જોતાં જ સ્ટેશનના બે માસ્તરોને એવી ભાવના થઈ કે એમની પાસેથી આપણે કંઈક સાંભળીએ. પૂજ્યશ્રીએ અર્ધો કલાક તેમને પરમાર્થ સંબંધી સમજ આપી. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, સિવાના બન્ને માસ્તરોએ નિત્યક્રમ પુસ્તક લીઘા. સિવાનામાં બે દિવસ રોકાવું થયું. ત્યાં ભક્તિ વાંચનમાં જેસલમેર તીર્થ ૬ ૪૦-૫૦ ભાઈબહેનોનું આવવું થતું. ત્યાંથી જાલોર પઘાર્યા. ગઢ જેસલમેરના કિલ્લામાં ઉપર ચઢી દર્શન કરી નીચે ઊતર્યા. ત્યાંથી સાથેના મુમુક્ષુપાસે પાસે ૭ દેરાસર : ભાઈબહેનો અંગાસ આશ્રમ આવવા માટે રવાના થયા. અને આવેલા છે. તેમાં છ પૂ.શ્રી બ્રહ્મચારીજી આહોર પઘાર્યા. ઓગણીસ દિવસ ત્યાં સ્થિરતા હજાર પ્રતિમાઓ છે. કરી. તે સમયે શ્રી મોહનભાઈ, શ્રી મગનભાઈ અને શ્રી ત્યાં દર્શન પૂજા ભક્તિ રણછોડભાઈ સાથે હતા. કર્યા. અહીંનો શાસ્ત્રભંડાર પ્રસિદ્ધ છે. તે જોઈ ત્રણ દિવસ ત્યાં સં.૨૦૦૯ના મહા સુદ ૧ના દિવસે શારીરિક સ્વસ્થતા રોકાઈ લોદરવાજી આવ્યા. લોદરવાજીમાં પાર્શ્વનાથ ભગવાનની અર્થે પૂજ્યશ્રીનું નાસિક પઘારવું થયું. શ્રી શાંતિભાઈ, શ્રી રણછોડભાઈ અને શ્રી પુખરાજજી તેઓશ્રીની સેવામાં સાથે સહસ્ત્રફણાની સુંદર ચમત્કારી પ્રતિમા છે. તેનાં દર્શન કરી જેસલમેરની આજુબાજુ યાત્રાએ ફરી પૂજ્યશ્રી નાકોડા તીર્થ પધાર્યા. હતા. ૧૯૧
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy