________________
પૂ.શ્રી બ્રહ્મચારીજી
શ્રી મૂલચંદભાઈ શાહ પામું સાચો જીવનપલટો
મંત્રે મંડ્યો, સ્મરણ કરતો, કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું ૫૨ ભણી ભૂંલી, બોલ ભૂલું પરાયા, આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચો જીવનપલટો, મોક્ષમાર્ગી થવાને.
જેના રોમરોમમાં પરમકૃપાળુદેવ દ્વારા આપેલ ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ' મંત્ર વ્યાસ હતો એવા પૂ.શ્રી બ્રહ્મચારીજીએ પોતાના જીવનમાં વણાઈ ગયેલ પરમકૃપાળુદેવના વચનામૃતોને યથાર્થ સમજવા યોગ્ય પૂર્વભૂમિકા તૈયાર કરવા અને સાચી મુમુક્ષુતા પ્રાપ્ત કરવાની કૂંચીરૂપ ઉપરનું કાવ્ય આપણું જીવન પલટાવવાને માટે શિક્ષાબોધરૂપે આપેલ છે.
પૂ.શ્રી બ્રહ્મચારીજી, પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના સાન્નિધ્યમાં લગભગ ૧૧ વર્ષ રહી, એમની દરેક આશાને પૂર્ણ નિષ્ઠાપૂર્વક ઉઠાવી, પોતાના અસ્તિત્વને સાવ ગૌણ કરી, તેઓશ્રીની સેવામાં અહોરાત્ર ઉપસ્થિત રહી સર્વ મુમુક્ષુઓને ઉત્તમ જીવન જીવવાનું માર્ગદર્શન આપી ગયા છે, અને આજ્ઞાંકિતપણાના જીવંત આદર્શરૂપ થયા છે.
પરમકૃપાળુદેવને અને પ.પૂ.પ્રભુશ્રીજીને જેણે જોયા જ નથી એવા ઘણા મુમુક્ષુઓ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પાસેથી આત્મરહસ્યનો બોધ પામી જીવનમાં યથાયોગ્યતા અને યથાશક્તિ પલટો લાવવા પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધાવાન અને ભક્તિવંત બન્યા છે. એવા ઉપકારી પુરુષના ઉપકારની યત્કિંચિત્ સ્મૃતિ અર્થે તેઓશ્રીનો જન્મશતાબ્દી ઉત્સવ ઊજવવા આપણને લહાવો મળ્યો તે આપણા અહોભાગ્ય છે. પરમકૃપાળુદેવે ઉદ્ઘારેલ વીતરાગમાર્ગને ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પ્રગટમાં આણ્યો છે. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાના આયુષ્યની અંતિમ અવસ્થામાં તે વીતરાગમાર્ગનો દોર પ.પૂ. બ્રહ્મચારીજીને યોગ્ય ધર્માધિકારી જાણી તેમના હાથમાં સોંપી. પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ અનેક
૧૧૮
મુમુક્ષુઓને પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર પરમકૃપાળુદેવની ભક્તિમાં જોડ્યા. હનુમાન સમાન ભક્તિવંત પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ પરમકૃપાળુદેવને ચર્મચક્ષુથી જોયા નહોતા, દર્શન કર્યા નહોતા છતાં પોતાના પુરુષાર્થના બળે અને અંતઃકરણની ભક્તિ વડે અંતર્ચક્ષુનો ઉઘાડ કરી પરમકૃપાળુદેવના સ્વરૂપ સાથે અભેદતા સાધી.
પરમકૃપાળુદેવના માર્ગનો જયજયકાર કરનાર, આજ્ઞારૂપી ધર્મને સાંગોપાંગ જીવનમાં ઉતારનાર, ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના વાવેલ બોઘબીજને જ્ઞાનરૂપી વટવૃક્ષ સમાન કરનાર તેમજ મુમુક્ષુઓના અંતરને ઠારનાર એવા ધર્માધિકારી પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું સર્વસામાન્ય રીતે પરમકૃપાળુદેવે પ્રગટ કરેલ વીતરાગધર્મની પરંપરામાં અને ખાસ કરીને આ આશ્રમમાં ઘર્મપરંપરાગત તૃતીય પુરુષ તરીકેનું સ્થાન યથાયોગ્ય છે; અને ધર્મમાર્ગની સોંપણી અને પરંપરાના પૂર્ણવિરામરૂપ છે.
‘શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે?’ એવા પરમકૃપાળુદેવના વચનોને સાકાર કરનાર, તેઓશ્રીના વચનના આધારે સમગ્ર જીવન જીવનાર અને એ જ લક્ષ સર્વ સજિજ્ઞાસુઓને પ્રામાણિકપણે કરાવનાર એવા પ.પૂ.બ્રહ્મચારીજી પોતે તર્યા અને બીજા અનેકને એ જ માર્ગે દોર્યા.
આ આશ્રમમાં ત્રિવેણી સંગમરૂપ, રત્નત્રયરૂપ, ત્રિપુટીરૂપ આ ત્રણ પુરુષો થયા છે. ત્રણેય પુરુષો એક અપેક્ષાએ સમકાલીન કહેવા યોગ્ય છે. પરમકૃપાળુદેવના સંવત્ ૧૯૫૭માં થયેલ નિર્વાણના બાર વર્ષ પહેલા એટલે સંવત્ ૧૯૪૫માં બ્રહ્મચારીજીનો પણ જન્મ થઈ ચૂક્યો હતો. પૂ.શ્રી બ્રહ્મચારીજી એ સમયના સત્પુરુષ છે. એમના જન્મશતાબ્દી વર્ષની ઊજવણી તે પરમકૃપાળુદેવ અને પ.પૂ.પ્રભુશ્રીજીના અગાઉ ઊજવાયેલ જન્મશતાબ્દી ઉત્સવોના અનુસંઘાનરૂપ ગણવા યોગ્ય છે.
૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો આયુષ્યકાળ પણ એ જ સમયગાળા દરમ્યાન હતો. (સંવત્ ૧૯૧૦-૧૯૯૨)
પરમકૃપાળુદેવે લખ્યું છે કે ‘ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.’’ (૩૯૮) આ પંચમકાળમાં એવા પરમાત્માસ્વરૂપ પામેલા પુરુષ પ્રત્યે આત્મકલ્યાણ–ઇચ્છક જીવોને વાળનાર આપણા પરમ ઉપકા૨ી પ૨મ પૂજ્ય પ્રભુશ્રીજી અને શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ, પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના ચીંધ્યા માર્ગે આદેશ અનુસાર આપણો જીવનપલટો થઈ આપણે સૌ પરમકૃપાળુદેવની ભક્તિમાં લીન થઈએ, લીન રહીએ એ જ પ્રભુ પ્રત્યે નમ્ર પ્રયાચના.