________________
નિત્યનિયમાદિ પાઠ (ભાવાર્થ સહિત) :
પરમકૃપાળુદેવના પદો ઉપર પૂજ્યશ્રીએ પ્રસંગોપાત્ત વિવેચન કરેલ. તે વિવેચન મુમુક્ષુઓને ઉપયોગી જણાવાથી ગ્રંથરૂપે પ્રકાશિત થયું છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં પૂજ્યશ્રી જણાવે છે કે “અર્થ સમજીને નિત્યનિયમાદિ પાઠ થાય તો પરમાર્થ તરફ વૃત્તિ પ્રેરાય અને ઉલ્લાસપૂર્વક ભક્તિ થાય એ આ પ્રકાશનનો હેતુ છે. સમજાયા પછી વિચારણાનો વિસ્તાર થાય છે અને નવીન ભાવો જાગે છે, તે સ્વ-વિચારણા આત્મપ્રતીતિનું કારણ થાય છે.’’
સ્થિતિ ભાત પાડ
આ ગ્રંથમાં અગાસ આશ્રમમાં નિત્યક્રમરૂપે બોલાતા મંગલાચરણથી માંડીને લગભગ બધા જ પદોના અર્થો છે. સવાર, બપોર, સાંજ અને રાત્રિની ભક્તિના પદો તેમજ દેવવંદન, આત્મસિદ્ધિ વગેરે બધાનો અર્થ આમાં સમાવેલ છે. તેથી આ પ્રકાશન પણ મુમુક્ષુઓને વિશેષ ઉપયોગી સિદ્ધ થયું છે.
આ ગ્રંથની પ્રથમાવૃત્તિનો સમય સં.૨૦૦૭ છે. વર્તમાનમાં આઠમી આવૃત્તિ વિદ્યમાન છે.
મોક્ષમાળા-વિવેચન : પૂજ્યશ્રીએ ‘મોક્ષમાળા’ ગ્રંથ ઉપર બે વખત વિવેચન કરેલ. તેને સમ્મિલિત કરી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથની ભાષા સરળ છે. બાળજીવોને પણ સમજાય તેવી છે.
આ વિવેચન ‘મોક્ષમાળા'ને સમજવામાં બહુ ઉપયોગી હોવાથી તેનો સ્વાઘ્યાય કરતાં સાથે રાખી વિચારવા યોગ્ય છે; જેથી જૈન વીતરાગ-માર્ગનું સ્વરૂપ સમજવામાં સુગમતા રહે. આ વિવેચનનો સમય સં.૨૦૦૫ અને સં.૨૦૦૮ છે.
પંચાસ્તિકાય-વિવેચન : અઘ્યાત્મયોગી શ્રીમદ્ કુંદકુંદાચાર્ય દ્વારા રચિત આ ગ્રંથ પ્રસિદ્ધ છે. આ ગ્રંથના પ્રથમ અધ્યયનમાં ષડ્વવ્યજીવાસ્તિકાય,અજીવાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તેમજ કાળદ્રવ્યનું પણ વર્ણન છે.
નિય
બીજા અધ્યયનમાં નવે તત્ત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ સમજાવ્યું છે અંતમાં ‘મોક્ષમાર્ગ પ્રપંચ ચૂલિકા’છે. તેમાં સમ્યક્દર્શન જ્ઞાનચરિત્ર એ મોક્ષમાર્ગ છે, એમ નિરૂપણ કર્યું છે.
મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. પ્રસ્તુત પુસ્તકમાં, પ્રથમ મૂળ પ્રાકૃતગાથા, પછી તેની સંસ્કૃત છાયા, પછી પરમકૃપાળુદેવકૃત ગુજરાતી ભાષાન્તર અને છેલ્લે પૂ.શ્રી બ્રહ્મચારીજીનું વિવેચન ક્રમશઃ આપી ગ્રંથને સમજવામાં સુગમતા કરી છે. પરમકૃપાળુદેવ કૃત ભાષાંતરમાં અમુક ગાથાઓના અર્થ કોઈ કારણવશાત્ મળી
શક્યા નથી. પણ પૂ.શ્રી બ્રહ્મચારીજીકૃત ભાવાર્થમાં તે મળવાથી અત્રે સમ્મિલિત કરી ગ્રંથની પૂર્તિ કરી છે. ગ્રંથ દ્રવ્યાનુયોગનો છે. ‘દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.’ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૬૬)
વિવેચનનો સમય સં.૨૦૦૮ છે.
૧૨૩
બોઘામૃત ભાગ-૨ (વચનામૃત વિવેચન) : પૂજ્યશ્રીએ પ્રસંગોપાત્ત શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના પત્રો ઉપર વિવેચન કરેલ. તે વિવેચનને એકત્રિત કરી પત્રાંકના ક્રમપૂર્વક મૂકી આ ગ્રંથનું ગૂંથન કરવામાં આવ્યું છે.
આ કહેલ બોધરૂપી અમૃત પરમકૃપાળુદેવના વચનામૃત સમજવામાં વિશેષ સહાયરૂપ સિદ્ધ થયું છે. પરમકૃપાળુદેવના વચનામૃતોનો વાસ્તવિક અંતર આશય સમજવા માટે આ બોધ સંપૂર્ણ વિશ્વસનીય છે. પરમકૃપાળુદેવ એક પત્રમાં જણાવે છે કે “માર્ગને પામેલો માર્ગ પમાડશે.’’ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૬૬) તેથી મોક્ષમાર્ગની સોંપણી જેને થઈ એવા પુરુષોથી વચનામૃતનો અંતર આશય સમજવો હિતાવહ છે. વચનામૃત-વિવેચનનો સમય મુખ્યત્વે સં.૨૦૦૮ થી સં. ૨૦૧૦ છે. (૫) સંયોજન વિભાગ
બોધામૃત
પ્રવેશિકા (મોક્ષમાળા પુસ્તક પહેલું) : આ ગ્રંથ ધર્મમાર્ગમાં પ્રવેશ કરાવનાર રૂપ છે. પ્રાથમિક ભૂમિકાના જિજ્ઞાસુને પ્રથમ વાંચવા યોગ્ય છે. ‘મોક્ષમાળા’ ગ્રંથના ચાર વિભાગ કરવાની યોજના પરમકૃપાળુદેવની હતી. તેમાંનું આ પહેલું પુસ્તક છે. આ ગ્રંથના વિષયોનો ક્રમ મુખ્યપણે મોક્ષમાળા ગ્રંથ મુજબ છે. કુલ્લે એકસો આઠ શિક્ષાપાઠ છે. ગ્રંથમાં વિવિધ વિષયો સ૨ળ
પ્રવેશિકા
સીધી ભાષાશૈલીમાં પૂજ્યશ્રીએ રજૂ કર્યા છે. પ.પૂ.પ્રભુશ્રીજીની ભલામણ અનુસાર વિવિધ શાસ્ત્રોમાંથી કરેલ ઉતારાઓ તેમજ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વિષયાનુસાર ઉતારાઓ તેમજ અન્ય મહાપુરુષોની પ્રસાદીરૂપ આ ગ્રંથનું સંયોજન કરેલું છે.
‘મોક્ષમાળા’ ગ્રંથનો સ્વાઘ્યાય કરતા પહેલા આ પુસ્તકનો સ્વાધ્યાય કરવાથી તે સમજવામાં સુગમતા રહેશે. અને ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથને પણ સમજવાની યોગ્યતા અમુક અંશે આનાથી પ્રાપ્ત થાય તેમ છે.
ધર્મના બીજા ગ્રંથો સમજવાની પણ આથી યોગ્યતા આવે તેમ હોવાથી ‘ધર્મ-પ્રવેશિકા'ની ગરજ સારે છે, આમ ગ્રંથની પ્રસ્તાવનામાં પૂજ્યશ્રીએ જણાવેલ છે. તેમજ ધર્મનું આરાધનપાલન જીવનમાં જરૂરી છે એવા સંસ્કારનું સીંચન થાય એવા શુભ આશયથી પૂજ્યશ્રીએ આ ગ્રંથનું સંયોજન કર્યું છે. આ પુસ્તકનો સંયોજન સમય સંવત્ ૨૦૦૫ છે.