SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ રહી માટે આવું બન્યું ને ? પાપ ભોગવી લઇએ તો સાધના પૂરી થયા વિના ન રહે. ‘દુ:ણું મહીપહમ્' અહીં જે શરીરનું દુ:ખ એ મહાફળવાળું કહ્યું છે તેમાં એટલું સમજવું કે – શરીરને દુઃખ વધારે આવે એટલે ફળ મળે એવું નહિ, શરીરને દુઃખ વધારે આપીએ એટલે ફળ મળે. શરીરને કષ્ટ આપવાથી નિર્જરા થાય. શરીરને કષ્ટ આપવા સ્વરૂપ જ આચાર અહીં બતાવ્યા છે. ભિક્ષાચર્યાએ ગયા પછી સાધુભગવંતો લાઇનમાં ઊભા ન રહે, સાધુભગવંતોનું અતિક્રમણ કરીને પહેલાં પોતે ન જાય... વગેરે આચાર બતાવ્યા પછી કઇ રીતે દાતા પાસેથી ભિક્ષા લેવી તે બતાવ્યું છે. ભિક્ષા લેતી વખતે એટલા દૂર પણ ઊભા ન રહેવું અને એટલા નજીક પણ ઊભા ન રહેવું કે જેથી દાતાને આપવું ફાવે નહિ. વસ્તુ પાત્રમાં પડે અને ઢોળાય નહિ : એ રીતે ઊભા રહેવું. ગૃહસ્થ પોતા માટે બનાવેલું હોય અને પ્રાસુ કે - અચિત્ત હોય : એવાં અન્નપાણી ગ્રહણ કરવાં. આવાં અશન-પાન પણ કઇ રીતે વાપરવાં : તેના માટે પાંત્રીસમી ગાથા છે अप्पपाणेऽप्पबीयंमि पडिच्छन्नंमि संवुडे । समयं संजए भुंजे जयं अपरिसाडियं ॥१-३५॥ અહીં ‘' શબ્દનો અર્થ ‘અભાવ’ કરવો અર્થાતુ જ્યાં જીવજંતુ ન હોય, વનસ્પતિ વગેરે ન હોય એટલે કે ગેસ અને સ્થાવરથી રહિત ભૂમિ હોય, ઉપર છત હોય, સચિત્ત પૃથ્વી ન હોય તેવી ભૂમિમાં વાપરે. ઉપર છત ન હોય તો સંપતિમ જીવોની વિરાધના થાય અથવા પક્ષીઓ સર્પ વગેરેને મોઢામાં પકડીને લઇ જતા હોય ત્યારે તેમના મોઢામાંથી ઝેરનાં ટીપાં નીચે પડે માટે છત વગરની જગ્યાએ ન બેસવું. ગૃહસ્થ માટે પણ સાત ચંદરવાનો વિધિ છે. ભિક્ષાએ ગયા પછી લાભાંતરાયના ઉદયથી ભિક્ષા ન મળે, અથવા સારી ભિક્ષા ન મળે તેમ જ લાભાંતરાયના ક્ષયોપશમથી ભિક્ષા મળી જાય તો – ‘હું નીચો - પાપી છું” અથવા “હું કેવો લબ્ધિસંપન્ન છું' આવો ૧૯૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કોઇ જાતનો વિચાર ન આવે. ભગવાનની આજ્ઞા મુજબ ગોચરીએ જાય એને નિર્જરા થાય જ. આવા વખતે ભિક્ષા મળ્યાનો આનંદ ન હોય અને ન મળ્યાનું દુઃખ ન હોય. શ્રી ઢંઢણઋષિને છ મહિના સુધી ગોચરી ન મળી ને ? છ મહિનાના અંતે ગોચરી મળ્યા પછી પણ ભગવાનને પૂછવા ગયા કે – મારો અભિગ્રહ પૂરો થયો ને ? અમે તો અભિગ્રહ પૂરો થયો છે - એમ સમજીને વાપરવા બેસી જઇએ ! સ0 એમને આટલું સત્ત્વ પ્રગટ થયું એમાં પુણ્ય જ કામ કરી ગયું ને ? ના, ભગવાનની આજ્ઞા માનવાનું મન થયું - એમાંથી સર્વ પ્રગટ થયું. પુણ્ય છોડે એને સત્ત્વ મળે. સામગ્રી પુણ્યથી મળે પણ એનો ઉપયોગ પુરુષાર્થથી થાય. કપડા પુણ્યથી મળે ને ? પણ પહેરવાનું કામ પુરુષાર્થથી થાય ને ? પુણ્યથી મળેલી સામગ્રી છોડી દેવા માટે પુરુષાર્થ જો ઇએ. શ્રી ઢંઢણઋષિએ પણ પુણ્યથી મળેલા લાડવા ભગવાનના કહેવાના કારણે પરઠવી દીધા તો કર્મ પરઠવાઇ ગયાં ને ? જેટલા જેટલા મહાપુરુષો મોક્ષમાં ગયા એ બધા પુણ્યને પરવીને જ ગયા છે. ભગવાનના જન્મ સમયે દેવતાઓએ ઘરમાં ભરેલી લક્ષ્મી પણ ભગવાને છોડી દીધી ને ? એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે – આવી લક્ષ્મી જેમના હાથમાં ગઇ એમને એ લક્ષ્મી ઉછાળવા જેવી લાગી. સાચું બોલો, જે વસ્તુ છૂટા હાથે ફેંકે એને લેવાનું મન થાય ખરું ? સત્ત્વ પ્રગટ કરવા માટે ભગવાનની આજ્ઞા મુજબ જીવવું પડશે. નિર્જરાના લક્ષ્ય વિના ભગવાનની આજ્ઞા મુજબ આચાર નહિ પળાય. આચારનું પાલન સુખ છોડીને થશે. સુખ ભોગવવાનો અધ્યવસાય તો પડેલો જ છે, દુ:ખ ભોગવવાનો અધ્યવસાય નવેસરથી પાડવાનો છે. સુખ ઓછું ભોગવ્યું છે છતાં એનો અધ્યવસાય વધારે છે અને દુ:ખ વધારે ભોગવ્યું છે છતાં એનો અધ્યવસાય જરાય નથી. આવી અવસ્થામાંથી આપણે બહાર નીકળવું છે. ભગવાનની આજ્ઞા મુજબ ગોચરી લઇને આવ્યા પછી જો વાપરતાં ન આવડે તો લાવેલી નિર્દોષ ગોચરી પર પાણી ફરી જતાં વાર નહિ લાગે. આપણી ભાષામાં કહીએ તો બધાં પગથિયાં સારી રીતે ચઢી ગયા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૯૧
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy