SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ # પુસ્તક : “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર’ નાં પ્રવચનો પ્રકાશકીય ) * પ્રથમ આવૃત્તિ # નકલ : ૧૦So # વિ.સં. ૨૦૬૮ * પ્રાપ્તિસ્થાન : * મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૭. * પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા ભાશિષ, ૫. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ) , મુંબઇ-૪૦૦ ૦૯૭. જતીનભાઇ હેમચંદ શાહ ‘કોમલ' છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩૯૫ ૦૩. છે તેનીલ એ. વોરા ૪૭૪, કૃષ્ણકુંજ, જુના પુલગેટ પાસે, ૨૩૯૨ ૯૩, જનરલથીમૈયા રોડ, પૂના-૪૧૧ ૦૦૧. અનંતોપકારી શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા અમારા અનન્યોપકારી વ્યાખ્યાનવાચસ્પતિ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પૂજ્યપાદ પરમસમતાનિષ્ઠ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય અમરગુપ્ત સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ચન્દ્રગુપ્ત સૂ. મ.સા. આદિ ગત વર્ષે “મુંબઈ - ચંદનબાલા’ ના ઉપાશ્રય ચાતુર્માસ માટે બિરાજમાન હતા. - તેઓશ્રીએ ચાતુર્માસ દરમ્યાન ‘યોગશતક' ગ્રંથને અનુલક્ષી દરરોજ સવારે વાચના ફરમાવી હતી. તેના સારભૂત અવતરણોનું પ્રકાશન આ પૂર્વે કર્યું છે. હવે દરરોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ સુધી નિયમિતપણે “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'ને અનુલક્ષી ફરમાવેલાં પ્રવચનોના સારભૂત અવતરણોનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' ના નામથી આપણે સૌ પરિચિત છીએ. એના આધારે પૂજ્યશ્રીએ ફરમાવેલાં પ્રવચનોના પુણ્ય શ્રવણનો જેમને અવસર પ્રાપ્ત થયો તેઓ સૌ ખરેખર જ લઘુકર્મી આત્માઓ છે. સ્વ.પૂ. પરમારાથ્યપાદશ્રીએ ફરમાવેલ કે આ સૂત્રના સ્વાધ્યાયથી વિષયકષાયની પરિણતિ દૂર થાય છે. ગમે તેટલા કષાયથી સંતપ્ત આત્માઓ આ સૂત્રની ૧૦-૧૫ ગાથાઓનો સ્વાધ્યાય કરે તો તેઓ પોતાના કષાયના તાપને દૂર કરી શાંતરસનો અનુભવ કરવા સમર્થ બને છે. સુત્રના પ્રત્યેક અક્ષરમાં એ એક અદ્ભુત સામર્થ્ય છે. આવા સૂત્રના પરમાર્થને પામવાનો યોગ આત્માની લઘુકર્મિતા વિના શક્ય બનતો નથી. આ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીસ અધ્યયનોમાંથી માત્ર પ્રથમ ત્રણ અધ્યયનોનાં પ્રવચનોના સારભૂત અવતરણોનું જ આ પુસ્તકથી પ્રકાશન થયું છે. સૂત્ર, તેનો વિષય અને પૂ.આ.ભ.શ્રીના તેના પ્રવચનો અંગેનો વાસ્તવિક ખ્યાલ તો પુસ્તકના વાંચન-મનનથી જ આવશે. * આર્થિક સહકાર : સ્વ. શ્રીમતી લમીબેન મંગળદાસ ઘડિયાળી તથા સ્વ. મંગળદાસ લલ્લુભાઇ ઘડિયાળી (વિજાપુર-ઉ.ગુ.) ના આત્મશ્રેયોડથું... * મુદ્રક : Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-380 001.(NJ) 98253 47620PH.(0(079) 22172271
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy