________________
તેમની નિશ્રામાં વ્રત લેવું. વ્રતના પરિણામ આવ્યા પછી તેને ટકાવવાની કે અમલમાં મૂકવાની ભાવના હોય તો સુગુરુ પાસે જવું જ પડશે. આજે ભાવના તો જાગે છે પણ તેને ટકાવવા માટે કોઇ જ પ્રયત્ન નથી ને ? જાણ્યા પછી કરવાનો પરિણામ ન જાગે તો તે જાણકાર કેવો? શ્રી ધર્મબિંદુમાં કહ્યું છે કે જાણકાર માણસ બેસી રહે તો તેને જાણકાર ન માનવો. પરિણામ અને પ્રવૃત્તિને જુદા પાડવાનું કામ નથી કરવું. શાસ્ત્રકારોએ પરિણામ અને પ્રવૃત્તિના સ્વરૂપને સમજાવવા માટે જુદા સમજાવ્યા છે, જુદા પાડવા માટે નહિ. કારણ કે પ્રવૃત્તિ અને પરિણામ ભેગાં જ છે. જેને રમવાનો પરિણામ હોય તેને તો જે મળે તેને સાધન બનાવે. નાના છોકરાઓને ક્રિકેટ રમવા માટે કશું ન મળે તો ધોકો અને કેરીનો ગોટલો લઇને રમે, સ્ટમ્પ તરીકે ડોલ મૂકી દે, અવાજ આવે તો આઉટ થયા સમજવું. આ રીતે પણ રમવું છે ! રમવાનો પરિણામ જેટલો છે તેટલો આત્મરમણતાનો નથી. પરિણામ હોય તો પ્રવૃત્તિ હોય જ, જ્ઞાની જે કાંઇ નિર્જરા કરે છે તે પ્રવૃત્તિમાં રમતા હોવાથી. જેને ઘોડા પર બેસવાનું મન હોય તેવા છોકરાઓ લાકડીનો પણ ઘોડો બનાવીને બેસે ને ? શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું છે કે જ્ઞાની જે કરે તેનું નામ ક્રિયા. ‘જ્ઞાનીને ક્રિયા પાસ.' જ્ઞાનીને ક્રિયા પાસે જ હોય છે. જે જ્ઞાની હોય તેની પાસે ચારિત્ર છે જ. કારણ કે તે કર્મને ઊખેડે છે. ચારિત્ર તેને કહેવાય કે જે કર્મનાં પડલોને(ચયને) રિક્ત કરે (ઊખેડે). આથી જ તો ભરત મહારાજા,
મરુદેવા માતાને મોક્ષ મળ્યો. અન્યથા કોઇ ક્રિયા વગર તેમને જ્ઞાનમાત્રથી મોક્ષ ન મળત. શ્રી ભરત મહારાજાએ જે કામ ચારિત્રમાં કરવાનું હતું તે કામ આરીસાભુવનમાં કર્યું તો કેવળજ્ઞાન પામી ગયા. જે કામ આરીસાભુવનમાં કરવાનું હતું તે આજે ચારિત્રમાં કરવા માંડ્યા તો કેવળજ્ઞાન દૂર જ થાય ને ? સ, ચૌદ હજાર મુકુટબદ્ધ રાજાઓ તેમનાં ચરણોમાં નમતા હશે
ત્યારે તેઓ શું વિચારતા હશે ?
ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાનને નમસ્કાર કરે તેને યાદ કરતા હશે. કારણ કે જેને ચારિત્ર જોઇએ તેની નજર દેવગુરુ ઉપર સ્થિર થયેલી હોય. ભરત ચક્રવર્તીને ચૌદ રત્ન મળ્યા પછી પણ ચૌદ ગુણઠાણાં ભુલાતાં ન હતાં. એક લાખ બાણું હજાર સ્ત્રીઓને ભોગવતાં પણ તેઓ મુક્તિરામણીને ભૂલ્યા ન હતા. છ ખંડનું સામ્રાજય મળ્યા પછી પણ તેઓ નિજગુણની સત્તામાં રમણતા કરવા માટે તત્પર હતા. બધી ક્રિયા કર્યા પછી જ મોક્ષ મળે છે – એવું નથી. પણ એક પણ ક્રિયાનો પરિણામ બાકી હશે તો મોક્ષ નહિ મળે. સ, આટલી સમૃદ્ધિ વચ્ચે અનાસક્તભાવે જીવતા હોય તે, તે
જીવની યોગ્યતા ?
આપણી જેમ. આપણને આટલી બધી ધર્મસામગ્રી મળી છે, આટલી ધર્મક્રિયાઓ કરીએ છીએ છતાં અનાસક્તભાવ (ધર્મ પ્રત્યે) હોવાથી ધર્મનું ફળ નથી મળતું. તેમ તેઓ અવિરતિની
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૫૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૯