SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્કારને અર્થવિસ્તાર ૫૭ ૩૦કારની ઉપર્યુકત ત્રણ માત્રાઓથી અતિરિક્ત એક ચેથી માત્રા નાદ રૂપ છે, પરંતુ તે અવ્યવહાર્ય છે. આ અવ્યવહાર માત્રા પ્રપંચોનું ઉપશમન કરનાર અને શિવરૂપ છે. આ ચતુર્થ માત્રાને નાદ એ જ આત્મા છે. આ રીતે વષ્કારરૂપ આત્મા જ આત્મામાં પ્રવેશ કરે છે. તેને જે જાણે છે, તે પોતાની સર્વ કામનાઓને પ્રાપ્ત કરે છે. અહીં પ્રસંગવશાત એ પણ જણાવી દઈએ કે એકી સાથે બે મંત્રની ઉપાસના થઈ શકતી નથી, અર્થાત કોઈ પણું એક મંત્રની જ ઉપાસના થઈ શકે છે, એટલે મંત્રપાસના કરવાની ઈચ્છાઅભિલાષાવાળાએ જે મંત્ર શ્રેષ્ઠ હાય તેની જ પસંદગી કરવી જોઈએ. કારની તુલનામાં કોઈ મંત્ર ઊભું રહી શકે એમ નથી, એ હકીકત છે, તેથી તેની જ પસંદગી કરવી એગ્ય છે, હિતાવહ છે, કલ્યાણકારી છે. બીજમંત્રવિચનમાં કહ્યું છે કે, “ભગવન્નામજપમાં કેટલાંક નામે તેમાં છુપાયેલા સંદેશાઓ અને સંકેતેને કારણે જ જપ કરવા યોગ્ય માનવામાં આવે છે અને તેથી જ તેઓ મંત્રની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે – પાલ- નામમાં ગોપાલનને સંદેશ અને ઈન્દ્રિયસંચમને સંકેત છૂપાયેલે છે. રામ-નામમાં જગતને આનંદિત કરવાને તથા આત્માનંદમાં રમણ કરવાને સંકેત નિહિત છે. * આ માત્રાને અધમાત્રા, અભિન્ક, અમાત્ર તથા તુરીય ચિત્માત્ર પણ કહે છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy